સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ ન ખરીદવા ગુજરાત સરકારની જનતાને અપીલ
સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ ન ખરીદવા ગુજરાત સરકારની જનતાને અપીલ
Published on: 07th August, 2026

રાજ્યમાં નકલી એનાલોગ પનીર, બટર અને ચીજ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયા બાદ, ગુજરાત સરકારે નાગરિકોને સસ્તી અને બ્રાન્ડ વગરની વસ્તુઓ ન ખરીદવા અપીલ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ જણાવ્યું કે, ભેળસેળિયા માફિયા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધિત આદેશ જાહેર કરાયો છે. 6 ઓગસ્ટે 74 જગ્યાએ તપાસ કરીને 1 હજાર કિલો નકલી પનીરનો નાશ કરાયો. સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ જ ખરીદવા જનતાને અનુરોધ.