યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની ૨૪૦૦ કરોડની જમીન પરના દબાણો દૂર કરાયા
યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની ૨૪૦૦ કરોડની જમીન પરના દબાણો દૂર કરાયા
Published on: 18th July, 2026

વડોદરામાં યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની આશરે ૨૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની જમીન પરના વર્ષો જૂના કાચા અને પાકા દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ જમીન ગાયકવાડ મહારાજાની માલિકીની હોવાના દાવા સાથે ચાલતો વિવાદ આખરે હાઇકોર્ટના ચુકાદા બાદ મંદિર ટ્રસ્ટની તરફેણમાં ગયો. ૧.૬૮ લાખ ચો.મી. જમીન પર ફેન્સિંગ કર્યા બાદ, રહીશોને નોટિસ આપીને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રહેણાંક મકાનો અને ઓરડીઓમાં રહેતા લોકોને બે દિવસનો સમય અપાયો છે, અન્યથા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરાશે.