રાજકોટમાં ખખ્ખર પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
રાજકોટમાં ખખ્ખર પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
Published on: 27th July, 2026

રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ સ્થિત અજંતા પાર્કમાં રહેતા ખખ્ખર પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ ઘટનામાં દંપતી દિલીપભાઈ (73), સ્મિતાબેન (65) અને તેમના અવિવાહિત પુત્ર નિશિત (32)નું સારવાર દરમિયાન મોત થયું છે. આર્થિક સંકળામણને કારણે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. 2018માં મોટા પુત્રના અવસાન બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.