વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
Published on: 24th June, 2026

ગીરગઢડા તાલુકાના જામવાળાની સીમમાં ગતરાત્રીના વાડીએ ભોજન પાર્ટીમાં ડખ્ખો થતા પાંચ મિત્રોએ એક મિત્રને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને નાસી ગયા હતા. સવારે ખેતરમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે ફરિયાદ થતા ગીરગઢડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો હતો.