PM મોદી: "નવસારીમાં માવાની ટેવ? સૌરાષ્ટ્રવાળા ઘણાં છે, માવાથી મુક્તિ મેળવો"
PM મોદી: "નવસારીમાં માવાની ટેવ? સૌરાષ્ટ્રવાળા ઘણાં છે, માવાથી મુક્તિ મેળવો"
Published on: 08th September, 2026

નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ AI સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કર્યું. તેમનું ભવ્ય સ્વાગત થયું, જેમાં 1100 મહિલાઓએ કળશ ધારણ કર્યા હતા અને 500 પુરુષોએ ડમરુ નાદ કર્યો. 5000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 1.15 લાખથી વધુ લોકોએ 389 ગામોમાં ડિજિટલ સ્ક્રીન પર કાર્યક્રમ નિહાળ્યો. PM મોદીએ કાર્યાલયના મીડિયા, ડિજિટલ કોલ સેન્ટર, પુસ્તકાલય અને સભાખંડોની મુલાકાત લીધી. તેમણે કાર્યકરોને દુઃખીયાના દુઃખ દૂર કરવા જણાવ્યું. PM એ સૌરાષ્ટ્રવાળા ઘણાં હોવાથી નવસારીમાં માવાની ટેવ ન હોવાની આશા વ્યક્ત કરી અને કેન્સર ડોક્ટરોના માવાથી મુક્તિ મેળવવાના સંદેશને યાદ કરાવ્યો.