વિશ્વામિત્રી નદી: 13 સ્થળોએથી 1 લાખ મે.ટન કાટમાળ હટાવવાની ઝુંબેશ શરૂ
વિશ્વામિત્રી નદી: 13 સ્થળોએથી 1 લાખ મે.ટન કાટમાળ હટાવવાની ઝુંબેશ શરૂ
Published on: 11th July, 2026

વિશ્વામિત્રી નદીમાં 2024ના વિનાશક પૂર બાદ, હ્યૂમન રાઇટ્સ કમિશનની સૂચના પર પાલિકાએ 13 સ્થળોએથી 1 લાખ મે.ટન કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સમા ભરવાડ વાસ પાસેથી 10 દિવસમાં 2 હજાર મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો છે. GPCBના અહેવાલ મુજબ, આ કાટમાળ નહીં હટે તો ફરી પૂરનું જોખમ છે. વરસાદ શરૂ થતાં કામગીરી હાલ સ્થગિત કરાઈ છે, પરંતુ ગેરકાયદે કચરો ઠાલવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના અપાઈ છે.