ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખોટું લોહી ચડાવ્યું
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખોટું લોહી ચડાવ્યું
Published on: 11th July, 2026

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીને કારણે ગર્ભવતી મહિલાના મોતનો બનાવ બન્યો છે. પ્રસૂતાને A negative ને બદલે B negative બ્લડ ચડાવવામાં આવ્યું હતું, જેના કારણે તેમનું એક અઠવાડિયાની સારવાર બાદ દુઃખદ અવસાન થયું. પોલીસે રજૂ કરેલો સમરી રિપોર્ટ કોર્ટે ફગાવી દીધો છે. સ્પે. એટ્રોસિટી કોર્ટે મેડિકલ સ્ટાફની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને S.C.S.T. સેલને ગુનો નોંધી જવાબદારો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો કડક આદેશ આપ્યો છે.