રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર
Published on: 11th July, 2026

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વધુ એક બાળકીનું મૃત્યુ થતાં ચિંતા વધી છે. મહેસાણામાં પણ પ્રથમ કેસ નોંધાયો છે, જેના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય માખીઓથી ફેલાય છે, તેથી કાચા મકાનો અને ભેજવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોમાં તાવ, બેભાન થવું જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સંપર્ક કરવા અપીલ કરી છે.