જૂનાગઢ નજીક કાર-ટ્રક અકસ્માતમાં બનાસકાંઠાના 4ના મોત
જૂનાગઢ નજીક કાર-ટ્રક અકસ્માતમાં બનાસકાંઠાના 4ના મોત
Published on: 11th July, 2026

જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ભીષણ અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન કરવા જઈ રહેલા બનાસકાંઠાના પરિવારની કાર રસ્તા પર બંધ હાલતમાં ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંધ ટ્રક પાછળ કાર ઘૂસતા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.