મુંબઈમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગ અભિયાનની શરૂઆત
મુંબઈમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગ અભિયાનની શરૂઆત
Published on: 06th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મુંબઈમાં ટેક્સટાઇલ કમિશનર વૃંદા દેસાઇ દ્વારા ગ્રાહક પછીનાં કપડાંના કચરાના સંગ્રહ અને અપસાયક્લિંગ માટે રીફાઈબર અને ઓટરરી દ્વારા એક મોટી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કાપડના કચરાનો સંગ્રહ, રિસાયક્લિંગ અને મૂલ્યવર્ધન કરીને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ કાપડ પ્રણાલી વિકસાવવાનો છે. આ અભિયાન 12 જૂન સુધી ચાલશે, જેમાં નાગરિકોને વપરાયેલાં કપડાં સંગ્રહ કેન્દ્રો પર જમા કરાવવા અપીલ કરાઈ છે. 'રિફાઇબર અપસાઈકલ્ડ પ્રોડક્ટ્સ માર્કેટપ્લેસ'નું પણ ઉદ્ઘાટન થયું, જ્યાં મહિલા કારીગરો દ્વારા બનાવેલી હસ્તકળા ઉપલબ્ધ થશે.