બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી
બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી
Published on: 06th June, 2026

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં જીતપુરથી આકરૂંદ રોડ પર કેશરપુરા સુધીનો માર્ગ 2017 બાદ અત્યંત બિસ્માર બન્યો છે. ભારે ટ્રકોની અવરજવરથી ધૂળ અને ચોમાસામાં ખાડાઓ સમસ્યા સર્જે છે. નવો રસ્તો બનાવવાનું કાર્ય વન વિભાગની મંજૂરી વિના વૃક્ષો કાપવાથી અટકી ગયું છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને તાત્કાલિક રસ્તો બનાવવા અને અટકેલું કામ ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.