ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય.
ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સક્રિય થવાને કારણે 10 જૂન સુધી અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉત્તર, મધ્ય, પૂર્વીય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમી તથા બફારાથી રાહત મળશે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય.
ગીરમાં સિંહ મૃત્યુ: વન મંત્રીના દાવા અને DCFની 'વાઇરસ'વાળી પોસ્ટ વચ્ચે ભેદ
ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ પાછળ કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને 'બબેસિઓસિસ' (Babesiosis) જેવા રોગોના કારણે થયેલા મોતના મામલે વિવાદ વકર્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા વાઈરસ ન હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ગીર પૂર્વના DCF વિકાસ યાદવની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન' એવો ઉલ્લેખ થતાં વન વિભાગના દાવા સામે પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાક્રમ વન વિભાગની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે.
ગીરમાં સિંહ મૃત્યુ: વન મંત્રીના દાવા અને DCFની 'વાઇરસ'વાળી પોસ્ટ વચ્ચે ભેદ
ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ, 7 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને ભેજને કારણે વાતાવરણ બદલાયું છે. નૈઋત્યનું ચોમાસું પણ આગળ વધી રહ્યું છે. 7 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે.
ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા ગુજરાત રાજ્યના નવા DGP
ગુજરાત પોલીસના બેડામાં મોટા ફેરફાર સાથે, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલના ઇનચાર્જ DGP કે.એલ.એન. રાવના નિવૃત્ત થવાને કારણે, 5 મહિના બાદ ગુજરાતને કાયમી DGP મળ્યા છે. 1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક, અમદાવાદમાં તેમની પ્રશંસનીય કામગીરી બાદ હવે રાજ્ય પોલીસ તંત્રની કમાન સંભાળશે.
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા ગુજરાત રાજ્યના નવા DGP
અમદાવાદમાં નકલી નોટો રેકેટનો પર્દાફાશ: 28.94 લાખની નકલી નોટો સાથે છની ધરપકડ
અમદાવાદના વટવામાં પોલીસે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 28.94 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ કૌભાંડમાં છ આરોપીઓની ધરપકડ કરાઈ છે. વટવાના એક મકાનમાં ચાલતા આ કારખાનામાં 500 રૂપિયાની નકલી નોટો છાપવામાં આવતી હતી. મુખ્ય આરોપીના મૃત્યુ બાદ તેના સાગરીતો અન્ય રાજ્યોમાં ભાગ્યા હતા, પરંતુ પોલીસે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડી તેમને દબોચી લીધા છે. વધુ તપાસ ચાલુ છે.
અમદાવાદમાં નકલી નોટો રેકેટનો પર્દાફાશ: 28.94 લાખની નકલી નોટો સાથે છની ધરપકડ
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું હતું. સ્થાનિકોના વિરોધની વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂના ગામતળમાં 36 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. ડિમોલિશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોના વિરોધને જોતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એક યુવકે આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી.
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર
ગુજરાતમાં વસ્તી ગણતરી વચ્ચે શિક્ષકોના પગાર વિલંબથી રોષ
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 2 લાખ પ્રાથમિક શિક્ષકો નવા મહિનામાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોના ઘરનું બજેટ મોંઘવારીમાં ખોરવાઈ ગયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના પગારમાં થઈ રહેલો અસહ્ય વિલંબ ચિંતાનો વિષય બન્યો છે. રેકોર્ડબ્રેક બજેટ હોવા છતાં, શિક્ષકોને સમયસર વેતન માટે વલખાં મારવા પડી રહ્યા છે. હોમ લોન, કાર લોનના હપ્તા બાઉન્સ થતાં પરિવારો ભારે આર્થિક અને માનસિક તાણ અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં વસ્તી ગણતરી વચ્ચે શિક્ષકોના પગાર વિલંબથી રોષ
ગાંધીનગર: રાણાસણ ગામમાં જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)-II એ ડભોડા પોલીસ સ્ટેશન હદમાં રાણાસણ ગામની સીમમાં જમીનમાં દાટેલા 26 બેરલમાં 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે LCB II ની ટીમે દરોડો પાડ્યો ત્યારે આરોપી જસવંત ઝાલા હાજર ન હતો. પોલીસે આશરે 1.3 લાખ રૂપિયાના મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કર્યો અને આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ FIR દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર: રાણાસણ ગામમાં જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો
ગુજરાત ટાઇટન્સના માનવ સુથારનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં યુવા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે. આ મેચ દ્વારા તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર 319મો ખેલાડી બન્યો છે, જેની કેપ તેને સીનિયર સ્પિનર કુલદીપ યાદવે પહેરાવી હતી. 23 વર્ષીય માનવ સુથાર, જે રાજસ્થાનનો રહેવાસી છે અને IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે, તે પોતાની બોલિંગ અને ઉપયોગી બેટિંગ ક્ષમતા માટે જાણીતો છે. રણજી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તેને આ તક મળી છે.
ગુજરાત ટાઇટન્સના માનવ સુથારનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ
RTE નો ત્રીજો રાઉન્ડ શરૂ: 7022 બેઠકો ખાલી, વાલીઓ માટે નવી તકો.
ગુજરાતમાં RTE હેઠળ ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે, જેમાં 4244 બાળકોનો પ્રવેશ થયો છે. જોકે, હજુ 7022 બેઠકો ખાલી હોવાથી, 6 જૂનથી ત્રીજો ઓનલાઇન રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ રાઉન્ડમાં વાલીઓ નવી શાળાઓ પસંદ કરી શકશે અથવા અગાઉ પસંદ કરેલી શાળાઓમાં ફેરબદલ કરી શકશે. લાયક વાલીઓને SMS દ્વારા જાણ કરવામાં આવી છે અને તેઓ 6થી 8 જૂન સુધી ઓનલાઇન સ્કૂલ પસંદગી કરી શકશે.
RTE નો ત્રીજો રાઉન્ડ શરૂ: 7022 બેઠકો ખાલી, વાલીઓ માટે નવી તકો.
મહેસાણા: શાળા, મંદિર અને વૃક્ષો ધરાવતી જમીન વેચી મારવાના કાવતરામાં 14 સામે ગુનો
મહેસાણાના કડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળા, મંદિર, આંગણવાડી, તબેલો અને રહેણાંક મકાનો સાથે 30થી વધુ વૃક્ષો ધરાવતી જમીનના ખોટા દસ્તાવેજો રજૂ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. વેચનાર અને ખરીદનાર પક્ષે સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ખેતીલાયક જમીનના ખોટા ફોટોગ્રાફ્સ અને માહિતીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્યની વાંધા અરજી બાદ થયેલી તપાસમાં ઘટસ્ફોટ થયો. કડીના સબ-રજિસ્ટ્રારે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બે NRI સહિત કુલ 14 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
મહેસાણા: શાળા, મંદિર અને વૃક્ષો ધરાવતી જમીન વેચી મારવાના કાવતરામાં 14 સામે ગુનો
મુંબઈમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગ અભિયાનની શરૂઆત
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મુંબઈમાં ટેક્સટાઇલ કમિશનર વૃંદા દેસાઇ દ્વારા ગ્રાહક પછીનાં કપડાંના કચરાના સંગ્રહ અને અપસાયક્લિંગ માટે રીફાઈબર અને ઓટરરી દ્વારા એક મોટી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કાપડના કચરાનો સંગ્રહ, રિસાયક્લિંગ અને મૂલ્યવર્ધન કરીને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ કાપડ પ્રણાલી વિકસાવવાનો છે. આ અભિયાન 12 જૂન સુધી ચાલશે, જેમાં નાગરિકોને વપરાયેલાં કપડાં સંગ્રહ કેન્દ્રો પર જમા કરાવવા અપીલ કરાઈ છે. 'રિફાઇબર અપસાઈકલ્ડ પ્રોડક્ટ્સ માર્કેટપ્લેસ'નું પણ ઉદ્ઘાટન થયું, જ્યાં મહિલા કારીગરો દ્વારા બનાવેલી હસ્તકળા ઉપલબ્ધ થશે.
મુંબઈમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગ અભિયાનની શરૂઆત
ગુજરાતની 34 જિલ્લાની જમીનમાં 9 તત્વોની ઊણપ
ગુજરાતમાં 34 જિલ્લાની ખેતીલાયક જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિત 9 મુખ્ય તત્વોની ઊણપ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં જમીનના પ્રકાર પ્રમાણે અલગ-અલગ પોષક તત્વોની ખામી છે. ખરીફ સિઝનમાં યોગ્ય પાક ઉત્પાદન માટે વાવણી પહેલાં જમીન પરીક્ષણ કરાવી, રાસાયણિક અને જૈવિક ખાતરનો યોગ્ય ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આનાથી જમીનની ફળદ્રુપતા વધશે અને પાકનું ઉત્પાદન સારું મળશે.
ગુજરાતની 34 જિલ્લાની જમીનમાં 9 તત્વોની ઊણપ
બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ
બાલાસિનોર પાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાના સંવર્ધન માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત પાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના અગ્રણી આગેવાનો, નગરપાલિકાનો વહીવટી સ્ટાફ્ અને શહેરના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ
આણંદમાં KAMC દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
કરમસદ આણંદ મહપાલિકા (KAMC) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી અખંડ ભારત ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ મહાનુભાવો, ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટરો અને અધિકારીઓએ ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધો. કાર્યક્રમમાં વૃક્ષોના સંવર્ધન, સ્વચ્છ વાતાવરણ જાળવવા અને પર્યાવરણ સંરક્ષણને દૈનિક જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો.
આણંદમાં KAMC દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
નડિયાદમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્રથમ 'પત્રકાર વન'નું ભવ્ય લોકાર્પણ.
નડિયાદ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિનના અવસરે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ રાજ્યના સૌ પ્રથમ 'પત્રકાર વન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને પત્રકારો જોડાયા હતા. આ વનમાં પર્યાવરણ અને આયુર્વેદિક રીતે ઉપયોગી એવા 211 વિવિધ રોપા, જેમાં લીમડો, બોરડી, વડ, પીપળ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, તેનું વાવેતર કરાયું છે.
નડિયાદમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્રથમ 'પત્રકાર વન'નું ભવ્ય લોકાર્પણ.
નડિયાદમાં 90 લાખના વિદેશી દારુના જથ્થાનો નાશ
ખેડા જિલ્લા પોલીસે નડિયાદ ડિવિઝન હેઠળના નડિયાદ ટાઉન, રુરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 41 ગુનાઓમાં ઝડપાયેલા 90 લાખ રૂપિયાના વિદેશી દારુના મુદ્દામાલનો નાશ કર્યો છે. કાયદાકીય મંજૂરી બાદ, સક્ષમ અધિકારીઓની હાજરીમાં, નડિયાદ નજીક પીજ ચોકડી ખાતે 30234 બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા નડિયાદ ડિવાયએસપી વિમલ બાજપાઈ, ચારેય પોલીસ સ્ટેશનના પી.આઈ. અને મામલતદાર સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ.
નડિયાદમાં 90 લાખના વિદેશી દારુના જથ્થાનો નાશ
છોટાઉદેપુરના બોડેલી નવજીવન સ્કૂલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
દર વર્ષે 5 જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી નવજીવન સ્કૂલે ઉત્સાહભેર ભાગ લીધો. આ ઉજવણીનો મુખ્ય હેતુ પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણીય સુરક્ષા માટે પ્રેરણા આપવાનો હતો. બોડેલી એસ.ટી. ડેપો ખાતે સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ મળી વૃક્ષારોપણ કર્યું તથા ડેપો વિસ્તારની સફાઈ કરીને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું.
છોટાઉદેપુરના બોડેલી નવજીવન સ્કૂલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
ખેડાની કરોડોની કેનાલમાં પાણી નહીં, ખેડૂતો સિંચાઈ માટે બોરવેલ પર નિર્ભર
મહેમદાવાદ તાલુકાના કારછાઈથી કતકપુરા જતી માઇનોર કેનાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આજ સુધી એક ટીપું પાણી આવ્યું નથી. ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ કેનાલમાં પાણી છોડ્યા પહેલા જ તૂટવા લાગી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. હાલ ખેડૂતો પોતાના બોરવેલનું પાણી કેનાલમાં છોડી ખેતરો સુધી પહોંચાડવા મજબૂર છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે નિયમિત પાણી છોડવાની અપીલ કરાઈ છે.
ખેડાની કરોડોની કેનાલમાં પાણી નહીં, ખેડૂતો સિંચાઈ માટે બોરવેલ પર નિર્ભર
વડોદરાના કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ
કરજણ નગર ભાજપ અને યુવા ભાજપ દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ છે. પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. કાર્યક્રમમાં નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, યુવા ભાજપ કાર્યકરો, હોદ્દેદારો સહિત પાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહી સંયુક્ત વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે વિવિધ જગ્યાએ લગભગ 270 જેટલા વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કર્યા હતા.
વડોદરાના કરજણ યુવા ભાજપ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ
બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં જીતપુરથી આકરૂંદ રોડ પર કેશરપુરા સુધીનો માર્ગ 2017 બાદ અત્યંત બિસ્માર બન્યો છે. ભારે ટ્રકોની અવરજવરથી ધૂળ અને ચોમાસામાં ખાડાઓ સમસ્યા સર્જે છે. નવો રસ્તો બનાવવાનું કાર્ય વન વિભાગની મંજૂરી વિના વૃક્ષો કાપવાથી અટકી ગયું છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને તાત્કાલિક રસ્તો બનાવવા અને અટકેલું કામ ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.
બાયડના જીતપુરથી કેશરપુરા માર્ગ નવા બનાવવા ગ્રામજનોની માંગણી
પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
પાદરા તાલુકાના ચિત્રાલ ગામ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. સાગર વિદ્યાલયમાં સવારે 9 કલાકે તાલુકા ભાજપના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના મંત્રી બ્રિજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર અને અન્ય અનેક આગેવાનો, સરપંચો અને સાગર વિદ્યાલયના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. કાર્યકરોએ લોકોને વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી, જેને સારો પ્રતિસાદ મળ્યો.
પાદરા તાલુકાના ચિત્રાલ ગામે ભાજપ કાર્યકરોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
છોટાઉદેપુરના નસવાડી CHC ગઢબોરિયાદમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સ્થિત CHC ગઢબોરિયાદ ખાતે ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળીને પ્રોત્સાહન આપવાનો હતો. CHC ના તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારીઓ, વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ સામાજિક વર્ગોના લોકો આ પ્રસંગે જોડાયા હતા. મહાનુભાવોએ પર્યાવરણના ઘટતા જતા સંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી વધુ વૃક્ષારોપણ અને તેની જાળવણીની અપીલ કરી.
છોટાઉદેપુરના નસવાડી CHC ગઢબોરિયાદમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર
મોડાસાની બેંક સાથે 61 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી દોઢ વર્ષ બાદ ઝડપાયો
મોડાસાની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે રૂ.61,59,387ની મસમોટી છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી રવિરાજ સોલંકીને અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી કરણપુર ગામનો રહીશ છે અને તે બેંકમાં ફિલ્ડમાં કામ કરતો હતો. તેણે ગ્રાહકોને લોનની લાલચ આપી, જરૂરી દસ્તાવેજો મેળવી, લોનના નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના કબજામાં રાખી લીધા હતા. ગ્રાહકોના અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરી બારોબાર નાણાં ઉપાડી બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
મોડાસાની બેંક સાથે 61 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી દોઢ વર્ષ બાદ ઝડપાયો
ગોધરામાં સતત બીજા દિવસે પાણી નહીં
ગોધરા શહેરમાં નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઘટવાને કારણે સતત બીજા દિવસે પણ પાણી પુરવઠો ખોરવાયો છે. શુક્રવારે સાંજે નર્મદા કેનાલમાં પૂરતું પાણી ન હોવાથી અને નગરપાલિકાની મોટર ડૂબી ન શકવાને કારણે પાણી પહોંચાડી શકાયું નહોતું. અગાઉ પાઇપલાઇન મરામતને કારણે પણ પાણી મળ્યું નહોતું, જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નગરપાલિકાએ સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
ગોધરામાં સતત બીજા દિવસે પાણી નહીં
હિંમતનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
હિંમતનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળીનું મહત્વ સમજાવવાનો હતો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રિયંકા પટેલ અને ચિરાગ ખરાડીએ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વૃદ્ધિ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે વિસ્તૃત જાણકારી આપી. તેમણે વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. સાબરડેરીના સ્ટાફ અને ચેરમેન શામળ પટેલની ઉપસ્થિતિમાં "વૃક્ષો વાવો, જીવન બચાવો" નો સંદેશ અપાયો.
હિંમતનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
દાહોદના દેવગઢબારીઆમાં નલ સે જલ યોજના ભ્રષ્ટાચારની ચુંગાલમાં
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના દેવગઢબારીઆ તાલુકામાં માત્ર કાગળ પર જ અમલમાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું હતું, પરંતુ ખાનગી એજન્સીઓએ અધૂરું કામ છોડી દેતા એકપણ ગામમાં યોજના પૂર્ણ થઈ નથી. તેમ છતાં, સરપંચ અને તલાટીઓએ ખોટા અભિપ્રાય આપી યોજના પૂર્ણ થયાનું દર્શાવી નાણાં મેળવી લીધા હોવાનો આરોપ છે. આ ભ્રષ્ટાચારને કારણે ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
દાહોદના દેવગઢબારીઆમાં નલ સે જલ યોજના ભ્રષ્ટાચારની ચુંગાલમાં
ઇડર બસ સ્ટેન્ડમાં નવી બે બસોનું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધાસભર પરિવહન સેવા આપવાના પ્રયાસરૂપે, ઇડર બસ સ્ટેન્ડ ખાતે શુક્રવારે નવી બે બસોનું લોકાર્પણ કરાયું. ધારાસભ્ય રમણ વોરાની ઉપસ્થિતિમાં, ભાજપના કાર્યકર શૈલેષ સગર દ્વારા રિબીન કપાવી બસોનું ઉદ્દઘાટન કરાયું, જે બાબતે શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી. આ નવી બસો ઇડર-વડોદરા અને ઇડર-ગાજીપુર રૂટ પર દોડશે. કાર્યક્રમમાં અનેક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇડર બસ સ્ટેન્ડમાં નવી બે બસોનું લોકાર્પણ
ઝઘડિયા DCM શ્રીરામ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ.
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કંપનીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉત્સાહપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં, પર્યાવરણ જાગૃતિ રેલી યોજાઈ. આ કાર્યક્રમમાં કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ વર્કફેર્સ અને અધિકારીઓએ ભાગ લીધો. રેલી બાદ, પર્યાવરણના મહત્વને સમજાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ઝઘડિયા DCM શ્રીરામ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ.
ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ખેડબ્રહ્મા નગરપાલિકાએ શહેરના બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે વેપારીઓને સૂચના આપી છે કે, જો તેઓ આ સૂચનાઓનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.
ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વિશ્વ પર્યાવરણ દિને અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું..આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રાદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફ્ડવાલાના માર્ગદર્શનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આકાર્યકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ્ અને વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા.