ગીરમાં સિંહ મૃત્યુ: વન મંત્રીના દાવા અને DCFની 'વાઇરસ'વાળી પોસ્ટ વચ્ચે ભેદ
ગીરમાં સિંહ મૃત્યુ: વન મંત્રીના દાવા અને DCFની 'વાઇરસ'વાળી પોસ્ટ વચ્ચે ભેદ
Published on: 06th June, 2026

ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ પાછળ કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને 'બબેસિઓસિસ' (Babesiosis) જેવા રોગોના કારણે થયેલા મોતના મામલે વિવાદ વકર્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા વાઈરસ ન હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ગીર પૂર્વના DCF વિકાસ યાદવની સોશિયલ મીડિયા પોસ્ટમાં 'વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન' એવો ઉલ્લેખ થતાં વન વિભાગના દાવા સામે પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાક્રમ વન વિભાગની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે.