નવસારી: સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી બીલીમોરાથી ઝડપાયો
નવસારી LCB દ્વારા સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી સંજુ ઉર્ફે સંજીબ પાલને બીલીમોરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો. આ આરોપી સ્કૂલની શિક્ષિકાઓ અને ગૃહિણીઓને ટાર્ગેટ કરી કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓ પર વિશેષ સ્કીમ આપવાના બહાને છેતરપિંડી કરતો હતો. તેની પાસેથી કુલ 1,05,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ નવસારી, બારડોલી, વાલોડ અને તાપી જિલ્લામાં પણ આવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
નવસારી: સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી બીલીમોરાથી ઝડપાયો
ગોધરા: મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
મોરવા હડફ્ તાલુકાના મોરા ગામના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણોને તંત્ર દ્વારા બીજા દિવસે સફળતાપૂર્વક દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ દબાણો હટાવવાની કાર્યવાહીને લઈને ગામમાં ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. 150થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ, પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગની મધ્યથી 15 મીટરની મર્યાદામાં બાંધેલા ઓટલા, શેડ અને કાચા દબાણો જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા છે.
ગોધરા: મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
Chhotaudepur: નસવાડીમાં રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ
નસવાડી : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નસવાડી તાલુકા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો. સાથે જ રોપવામાં આવેલા વૃક્ષોની નિયમિત સંભાળ અને જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.કાર્યક્રમમાં નસવાડી તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Chhotaudepur: નસવાડીમાં રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વૃક્ષારોપણ
Dabhoi: ડભોઈના થુવાવી PHC ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
ડભોઈ : ડભોઇ તાલુકાના થુવાવીPHCખાતે સેજા કશ્રાના તૃતીય પોષણ ઉત્સવ-2026 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં THR તેમજ વિવિધ મિલેટ્સમાંથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઈ હતી. જેમાં થુવાવી સેજા હેઠળના 36 આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો તથા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં શ્રોષ્ઠ વાનગી બનાવનાર 3-3 વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
Dabhoi: ડભોઈના થુવાવી PHC ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક: સમાજહિત અને ઔદ્યોગિક વિકાસ પર ચર્ચા
અંકલેશ્વરમાં જીઆઈડીસી સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિચાર મંથન બેઠક યોજાઈ. આ મંચનો ઉદ્દેશ્ય સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાનો છે. બેઠકમાં ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત પર ચર્ચા થઈ. ભવિષ્યમાં સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવકલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન અને પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ લેવાયો. દર મહિને ખ્યાતનામ વકતાઓ સાથે બેઠક યોજાશે.
અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક: સમાજહિત અને ઔદ્યોગિક વિકાસ પર ચર્ચા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત: ઇશ્વરસિંહ પટેલે કર્યો સરકારના કામોનો ઉલ્લેખ
રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.І ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફ્સિ બિલ્ડીંગના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. કુલ રૂ. 662.73 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ થયું. મંત્રીએ જણાવ્યું કે, રૂ. 143 કરોડના ખર્ચે કરજણ કેનાલનું નવીનીકરણ થશે, જેની ક્ષમતા 3200 ક્યુસેકથી વધી 4200-4300 ક્યુસેક થશે. આ ઉપરાંત, પાણી નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ઊંડી કરવાની કામગીરી પણ કરાશે, જેથી ગામડાઓની પાણીની સમસ્યા દૂર થશે.
અંકલેશ્વરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત: ઇશ્વરસિંહ પટેલે કર્યો સરકારના કામોનો ઉલ્લેખ
નર્મદાના સાગબારાના ઉષાબેન વસાવા રાષ્ટ્રપતિ ભવનમાં વિશિષ્ટ અતિથિ બન્યાં, ગૌરવની ક્ષણ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશિષ્ટ અતિથિ રહ્યા. દેશભરમાંથી પસંદ કરાયેલી ચાર મહિલાઓમાં ઉષાબેનનો સમાવેશ થતાં ગુજરાતના આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ બની. 2022માં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નારી શક્તિ પુરસ્કાર મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ આમંત્રણ તેમના સામાજિક અને કૃષિ ક્ષેત્રના કાર્યની રાષ્ટ્રીય ઓળખ દર્શાવે છે.
નર્મદાના સાગબારાના ઉષાબેન વસાવા રાષ્ટ્રપતિ ભવનમાં વિશિષ્ટ અતિથિ બન્યાં, ગૌરવની ક્ષણ
લગ્નમાં રોજનો કંકાસ ક્રુરતા નથી, બોમ્બે હાઈકોર્ટનો છૂટાછેડા અરજી પર મહત્વનો ચુકાદો
બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્નમાં થતો રોજનો કંકાસ કે સામાન્ય મતભેદ માનસિક ક્રૂરતા ગણાતો નથી. હાઈકોર્ટની નાગપુર બેન્ચે જણાવ્યું કે ક્રૂરતા એટલી હદે હોવી જોઈએ કે દંપતી હવે સાથે રહી શકે તેવી અપેક્ષા જ ન હોય. છૂટાછેડા માટે માત્ર નાના-નાના કિસ્સાઓ પર ધ્યાન આપવાને બદલે સમગ્ર લગ્ન જીવનનું મૂલ્યાંકન થવું જોઈએ. દરેક કિસ્સામાં ક્રૂરતા અલગ હોઈ શકે છે અને તે પક્ષકારોની આર્થિક, સામાજિક પરિસ્થિતિ તથા સાંસ્કૃતિક મૂલ્યો પર આધાર રાખે છે.
લગ્નમાં રોજનો કંકાસ ક્રુરતા નથી, બોમ્બે હાઈકોર્ટનો છૂટાછેડા અરજી પર મહત્વનો ચુકાદો
ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હોટલ સંચાલકો દ્વારા જીવલેણ હુમલો
ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનૂની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા વિભાગના સીનિયર નિરીક્ષક જિજ્ઞાબેન મહેન્દ્રકુમાર ચૌહાણ અને તેમની ટીમ પર પીપોળી ગામ પાસે આવેલી એક હાઇવે હોટેલના સંચાલકો દ્વારા ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હોટેલમાં પેક્ડ વસ્તુઓ પર વધુ ભાવ લેવાતા હોવાનું ધ્યાને આવતાં નિયમ મુજબ દંડકીય કાર્યવાહી શરૂ કરતાં હોટેલ સંચાલકો - મયુરરાજસિંહ ચુડાસમા, ઘનશ્યામસિંહ ચુડાસમા, ઇન્દ્રજિતસિંહ ચુડાસમા અને નિત્યરાજસિંહ ચુડાસમા - ઉશ્કેરાઈ ગયા. તેમણે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી, મારપીટ કરી, અને રૂ. ૧,૦૦,૦૦૦ નો મોબાઇલ ફોન તેમજ ડ્રાઇવરનો રૂ. ૨૫ હજારનો મોબાઇલ ઝૂંટવી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધા. આ ઘટના બાદ ધોલેરા પોલીસ મથકમાં સરકારી કામકાજમાં અડચણ, હુમલો, તોડફોડ અને લૂંટ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હોટલ સંચાલકો દ્વારા જીવલેણ હુમલો
જેલ મુલાકાત, રાજકીય ચાલ અને 2027ની ચૂંટણી: ચૈતર વસાવા કેસમાં AAPની રણનીતિ
AAP નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન દ્વારા AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલમાં મળવાની ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વસાવા પર વનવિભાગના કર્મચારીઓ પર હુમલો અને પૈસાની માંગણીનો આરોપ છે. આ મુલાકાત 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં AAPની વ્યૂહરચના અને આદિવાસી વોટબેંક પર પ્રભાવ અંગે અનેક સવાલો ઉભા કરે છે. કેજરીવાલે વસાવાને મળ્યા બાદ જણાવ્યું હતું કે, દબાણ કરવાથી તે વધુ મજબૂત નેતા બનશે, જે ભાજપ માટે ચેલેન્જરૂપ બની શકે છે.
જેલ મુલાકાત, રાજકીય ચાલ અને 2027ની ચૂંટણી: ચૈતર વસાવા કેસમાં AAPની રણનીતિ
પાટણ જિલ્લા સંકલન સમિતિ: લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરની સૂચના
પાટણમાં જિલ્લા કલેકટર ડો પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. નાગરિકોના પ્રજાલક્ષી અને લોકસુવિધાના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ધારાસભ્યોએ રસ્તા, પીવાનું પાણી, વીજળી, ગટર જેવી માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા. કલેક્ટરે અધિકારીઓને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ શિથિલતા કે બેદરકારી નહીં ચલાવી લેવાની અને સામાન્ય નાગરિકોના હિત સંબંધિત પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની તાકીદ કરી.
પાટણ જિલ્લા સંકલન સમિતિ: લોકપ્રશ્નોના સમયસર નિકાલ માટે કલેક્ટરની સૂચના
પાટણ પાલિકાની ઢોર પકડવાની ટીમ પર પશુપાલકોનો અસહકાર: કાર્યવાહી કરવા માંગ
પાટણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગુરુવારે સવારે પાટણ નગરપાલિકાની ઢોર પકડવાની ટીમે પદ્મનાભ ચોકડી વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરી હતી. જોકે, પશુપાલકોએ પોતાના બાઇકો લઈને ઢોરને ભગાડી મૂકી કામગીરી નિષ્ફળ બનાવી. પશુપાલકોની આ દાદાગીરી અને અસહકારને કારણે ઢોર પકડવા મુશ્કેલ બન્યા છે. રસ્તા પર ઢોર દોડાવવાથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક રહીશોએ આવા પશુપાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પાટણ પાલિકાની ઢોર પકડવાની ટીમ પર પશુપાલકોનો અસહકાર: કાર્યવાહી કરવા માંગ
કાકોશી ચોકડી પર ટ્રેલર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, વાહનો રોંગ સાઈડમાં ફંગોળાયા
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી ચોકડી પાસે એક ગંભીર અકસ્માત થયો છે. મુસાફરોને ઉતારીને સિદ્ધપુર જતી એસટી બસને મહેસાણાથી પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરમાં બંને વાહનો ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પટકાયા હતા. સદનસીબે બસમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી. બસ ડ્રાઈવર નિતિનકુમાર સોલંકીને ઘૂંટણમાં ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા. ટ્રેલર ચાલક ફરાર. CCTV ફૂટેજમાં ઘટના કેદ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
કાકોશી ચોકડી પર ટ્રેલર અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, વાહનો રોંગ સાઈડમાં ફંગોળાયા
હિંમતનગર બાળ તસ્કરી રેકેટ: મુંબઈની મહિલા સહિત મુખ્ય ત્રણ દલાલો ઝડપાયા
સાબરકાંઠા SOG અને AHTU ટીમોએ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈની કવિતા જાધવ, રાજસ્થાનના સીતારામ પરમાર અને બિપીન ઠાકોર સહિત ત્રણ મુખ્ય દલાલો ઝડપાયા છે. આ દલાલો મહારાષ્ટ્રની નૂરી શેખ મારફતે બાળકોનું વેચાણ કરતા હતા. પોલીસે તારીખ 17 ઓગસ્ટે ચાર શખ્સો અને એક મહિલાને નવજાત બાળકી સાથે ઝડપી પાડ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સતર્કતા રાખીને મુંબઈ પહોંચી કવિતા જાધવ અને સીતારામ પરમારને ઝડપી પાડ્યા. બાળકો નગાપ ઉર્ફે મુન્નાને વેચવામાં આવતા હતા, જેને પકડવા તજવીજ ચાલુ છે.
હિંમતનગર બાળ તસ્કરી રેકેટ: મુંબઈની મહિલા સહિત મુખ્ય ત્રણ દલાલો ઝડપાયા
રક્ષાબંધન માટે સાબરકાંઠા પોસ્ટ ઓફિસ વિદેશમાં મોકલશે 500 રાખડીઓ, ખાસ સુવિધા શરૂ
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે, સાબરકાંઠા હેડ પોસ્ટ ઓફિસ દ્વારા વિદેશમાં રહેતા ભાઈઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોસ્ટ ઓફિસથી અંદાજે 450 થી 500 જેટલી રાખડીઓ વિદેશ મોકલવામાં આવશે. બહેનોને સરળતા રહે તે માટે 2 વિશેષ કાઉન્ટર કાર્યરત કરાયા છે, જ્યાં 11,000 વોટરપ્રુફ રાખડી કવર અને 4,000 રાખડી બોક્સ ઉપલબ્ધ છે. હાલ દરરોજ આશરે 20 રાખડીઓ વિદેશ મોકલાઈ રહી છે, અને રક્ષાબંધન સુધીમાં આ સંખ્યા 500 સુધી પહોંચવાનો અંદાજ છે.
રક્ષાબંધન માટે સાબરકાંઠા પોસ્ટ ઓફિસ વિદેશમાં મોકલશે 500 રાખડીઓ, ખાસ સુવિધા શરૂ
બાદરગઢમાં બાળકોના ખાવાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન પર દંડ અને કનેક્શન કપાશે.
બનાસકાંઠાના બાદરગઢ ગામમાં બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને રૂ. 5 અને 10ના ખાવાના પડીકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામસભામાં સર્વ સંમતિથી આ ઠરાવ પસાર થયો છે, જે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને રૂ. 1000 દંડ ફટકારવામાં આવશે અને તેમના વીજળી તથા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ઉપરાંત, ગુટકા, પ્રતિબંધિત પ્લાસ્ટિક, અને કેફી દ્રવ્યોના વેચાણ પર પણ રોક લગાવવામાં આવી છે.
બાદરગઢમાં બાળકોના ખાવાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન પર દંડ અને કનેક્શન કપાશે.
સુરેન્દ્રનગર અલંકાર અંડરબ્રિજ: રેલવે અને પાલિકા વચ્ચે હેન્ડઓવર મુદ્દે વિવાદ, કામગીરી બાકી
સુરેન્દ્રનગર ખાતે અલંકાર સિનેમા અને સી.જે. હોસ્પિટલ પાસે કરોડોના ખર્ચે બનેલો અંડરબ્રિજ વાહનચાલકો માટે મુસીબત બની રહ્યો છે. મનપા દ્વારા અનેક લેખિત રજૂઆતો છતાં, વેસ્ટર્ન રેલવેના સ્થાનિક ઇજનેર વિભાગે જરૂરી રિપેરિંગ અને પંપિંગ વ્યવસ્થા કર્યા વિના જ બ્રિજ હેન્ડઓવર કર્યો નથી. રેલવે તંત્રના દાવા મુજબ બ્રિજ સોંપી દેવાયો છે, પરંતુ પાલિકા તેને સ્વીકારવા તૈયાર નથી. અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે પૂરતી પંપિંગ સિસ્ટમનો અભાવ અને લીકેજને કારણે પાણી ભરાઈ રહે છે, જેના કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મનપાએ તાત્કાલિક રિપેરિંગ અને પંપિંગ સિસ્ટમ કાર્યરત કરવાની માંગ કરી છે.
સુરેન્દ્રનગર અલંકાર અંડરબ્રિજ: રેલવે અને પાલિકા વચ્ચે હેન્ડઓવર મુદ્દે વિવાદ, કામગીરી બાકી
સરકારી નોકરીના નામે ૨૫ લાખની ઠગાઈ: આરોપી મેહુલ શાહ પોલીસ કસ્ટડીમાં ફિનાઈલ પીધું.
સુરેન્દ્રનગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને ૨૫ લાખની છેતરપિંડી કરનાર આરોપી મેહુલ શાહને પોલીસે ઝડપી લીધો હતો. ગુરુવારે રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કરવા લઈ જવાઈ રહ્યો હતો ત્યારે વોશરૂમ જવાનું બહાનું કાઢી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વોશરૂમમાં ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની તબિયત સ્થિર છે. મેહુલ શાહે નકલી IAS તરીકે ઓળખ આપી અને મહેસૂલ વિભાગના ડાયરેક્ટર હોવાનું કહી ૨૫ લાખ પડાવ્યા હતા.
સરકારી નોકરીના નામે ૨૫ લાખની ઠગાઈ: આરોપી મેહુલ શાહ પોલીસ કસ્ટડીમાં ફિનાઈલ પીધું.
ASP ટીમે વઢવાણ GIDCમાં દરોડો પાડી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપ્યો
સુરેન્દ્રનગર ASP વેદિકા બિહાનીની ટીમે બાતમીના આધારે વઢવાણ GIDCમાં એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 209 કટ્ટા ઘઉં, 150 કટ્ટા ચોખા, અને 26 કટ્ટા ચણા સહિતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે, જે રેશનીંગમાં અપાતું અનાજ હોવાનું મનાય છે. પોલીસે ગોડાઉન સંચાલક પારસ કિરીટકુમાર ગાંધીની અટક કરી રૂપિયા 4,84,000નું અનાજ અને એક ટ્રક મળી કુલ રૂપિયા 10,84,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ASP ટીમે વઢવાણ GIDCમાં દરોડો પાડી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપ્યો
પોરબંદરના ખેડૂતે ગૌમૂત્ર-છાણથી જીવામૃત બનાવી શૂન્ય કર્યો ખેતી ખર્ચ
પોરબંદરના અડવાણા ગામના ખેડૂત મુરુભાઈ ભીમાભાઈ ગોઢાણીયાએ મોંઘા રસાયણો વિના પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ ગૌમૂત્ર અને છાણમાંથી જીવામૃત, ઘનજીવામૃત અને અગ્નિઅસ્ત્ર જેવા દેશી ઘટકોનો ઉપયોગ કરીને શિયાળામાં ઘઉં, ચણા, ધાણા અને ચોમાસામાં મગફળીનું સફળ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ પદ્ધતિથી તેમનો ખેતી ખર્ચ શૂન્ય થયો છે અને જમીનનું આરોગ્ય સુધર્યું છે. તેમના પ્રાકૃતિક ઉત્પાદનો સીધા ગ્રાહકો દ્વારા ખરીદાય છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.
પોરબંદરના ખેડૂતે ગૌમૂત્ર-છાણથી જીવામૃત બનાવી શૂન્ય કર્યો ખેતી ખર્ચ
પરિવાર બહાર ગયો ને તસ્કરો ચોથા માળે તાળું તોડી ઘર ખાલી કરી ગયા, દોઢ લાખની ચોરી
પોરબંદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં આવાસના ચોથા માળે એક બંધ ફ્લેટમાંથી દોઢ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીની ચોરી થઈ છે. ઘટના ત્યારે બની જ્યારે પરિવાર દવાખાનાના કામ અર્થે 8 દિવસ માટે બહાર ગયો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને ફ્રીઝ, ટી.વી., ગેસ બાટલો, વાસણો, પંખા સહિત બધો જ સામાન ચોરી લીધો. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયો.
પરિવાર બહાર ગયો ને તસ્કરો ચોથા માળે તાળું તોડી ઘર ખાલી કરી ગયા, દોઢ લાખની ચોરી
પોરબંદરમાં નાઇટ શેલ્ટર હોમ: એક જ એજન્સી આવતા ફરી ટેન્ડર, ગરીબોને રાહત ક્યારે?
પોરબંદરમાં ગરીબ અને નિરાધાર લોકો માટે નાઇટ શેલ્ટર બનાવવાની યોજનામાં તંત્રની ધીમી ગતિ જોવા મળી રહી છે. ૨૦૨૪માં જ મંજૂરી મળ્યા બાદ, એક જ એજન્સીએ ભાગ લેતા અગાઉનું ટેન્ડર રદ થયું. હવે, રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ નાઇટ શેલ્ટરમાં ડાઇનિંગ, કિચન, દિવ્યાંગો માટે રૂમ, લિફ્ટ, બાળકો અને પરિવારો માટે સુવિધાઓ, તેમજ મહિલા-પુરુષો માટે અલગ રહેવાની વ્યવસ્થા અને શૌચાલય જેવી અનેક સુવિધાઓ સામેલ છે.
પોરબંદરમાં નાઇટ શેલ્ટર હોમ: એક જ એજન્સી આવતા ફરી ટેન્ડર, ગરીબોને રાહત ક્યારે?
મોડાસામાં 22.50 લાખના સોનાના ઘરેણા ચોરનાર કામવાળી મહિલા ઝડપાઈ, માલિકને પરત અપાયા
મોડાસામાં એક પરિવારની તિજોરીમાંથી રૂ.22.50 લાખના સોનાના ઘરેણાં ગુમ થયા હતા. ટાઉન પોલીસની તપાસમાં ઘરમાં કામ કરતી મહિલાએ જ ચોરી કર્યાનું બહાર આવ્યું. SP મનોહરસિંહ જાડેજા અને DySP જેડી વાઘેલાએ "તેરા તુજકો અર્પણ" અંતર્ગત માલિકને 40.6 ગ્રામ સોનાની ચેન, 62.8 ગ્રામનો પાટલો અને 29.9 ગ્રામની બંગડી સહિતના દાગીના પરત અપાવ્યા. મહિલાએ પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી.
મોડાસામાં 22.50 લાખના સોનાના ઘરેણા ચોરનાર કામવાળી મહિલા ઝડપાઈ, માલિકને પરત અપાયા
બોટાદમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી કરાયો જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ
બોટાદ શહેરમાં શંકરપરા વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય જયભાઈ વાઘેલાનું જૂની કૌટુંબિક અદાવતના કારણે ચાર શખસો દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો. જયભાઈ બોટાદ બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે એક સફેદ ફોર-વ્હીલર કારમાં આવેલા મયૂર વાળા, વિરાજ, કરણ અને પીન્ટુભાઈએ તેમને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું. બાદમાં તેમને ઉંભડા ગામ પાસેના ખેતરમાં લઈ જઈ લાકડી-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજાગ્રસ્ત હાલતમાં છોડી આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી કરાયો જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ
૨૦ રૂપિયાના લાંચ કેસમાં ૩૦ વર્ષે બે સરકારી કર્મચારીઓ નિર્દોષ જાહેર
નવી દિલ્હી : ૨૦ રૂપિયાની લાંચના ત્રણ દાયકા સુધી ચાલેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના બે કર્મચારી, એક ક્લાર્ક અને એક પટાવાળાને નિર્દોષ છોડી મૂક્યા છે. આ કેસ ૧૯૯૬માં શરૂ થયો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર ૨૦ રૂપિયા આપ્યા હોવાના આધારે લાંચ લીધી હોવાનું પુરવાર થઈ શકતું નથી. ફરિયાદીના દાવાઓમાં પણ વિસંગતતાઓ જણાતા અને તપાસ એજન્સી (ACB)ની સૂચનાઓનું પાલન ન થતા, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા રદ કરી બંનેને સજામાંથી મુક્તિ આપી છે.
૨૦ રૂપિયાના લાંચ કેસમાં ૩૦ વર્ષે બે સરકારી કર્મચારીઓ નિર્દોષ જાહેર
ભાવનગર લઠ્ઠાકાંડ: માસ્ટરમાઈન્ડ 'રઈસ' સહિત ૧૪ ઝડપાયા, તપાસ મધ્યપ્રદેશ-દિલ્હી સુધી પહોંચી
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાલી રહી છે. નકલી દારૂ બનાવનાર અને સપ્લાય ચેઇનમાં સામેલ માસ્ટરમાઈન્ડ રઈસ સહિત કુલ ૧૪ શખ્સોને ઝડપી લેવાયા છે. આ નકલી દારૂનું રો-મટિરિયલ મધ્યપ્રદેશ અને દિલ્હીથી આવતું હોવાથી તપાસ તે રાજ્યો સુધી લંબાઈ છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરાશે. કુલ ૧૩ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ભાવનગર લઠ્ઠાકાંડ: માસ્ટરમાઈન્ડ 'રઈસ' સહિત ૧૪ ઝડપાયા, તપાસ મધ્યપ્રદેશ-દિલ્હી સુધી પહોંચી
વાઘોડિયા નજીક ડમ્પરની ટક્કરથી બૂલેટ સવાર યુવકનું મોત, મામા-ભાણેજને ઇજા
વાઘોડિયા તાલુકાના ઇટોલી ગામના રાહુલ ઠાકોરભાઇ ઠક્કર નાસ્તો લઈને પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે જરોદથી વાઘોડિયા જતારોડ પર સૂર્યા નદીના બ્રિજ પહેલા પાછળથી આવતા ડમ્પર ચાલકે તેમની બૂલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહુલ અને તેની પાછળ બેઠેલા ભાણેજને ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા રાહુલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.
વાઘોડિયા નજીક ડમ્પરની ટક્કરથી બૂલેટ સવાર યુવકનું મોત, મામા-ભાણેજને ઇજા
વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકી ફરાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા
વડસર બ્રિજ નજીક ચાલતી જતી ૬૦ વર્ષીય નયનાબેનના કાનમાંથી સોનાની બુટ્ટીઓ આંચકીને ફરાર થયેલા બે બાઇક સવાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. અંદાજે અઢી ગ્રામ વજનની આ સોનાની કડીઓ લૂંટીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ડીસીબી પોલીસે આ ગુનામાં સામેલ કરણદીપસિંગ બલવિંદરસિંગ ભટ્ટી અને સુદર્શનસિંગગુરમીન્દરસિંગ બેન્સને ઝડપી પાડી ચોરાયેલી સોનાની બુટ્ટી કબજે કરી છે.
વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકી ફરાર આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા
નવસારી: સ્વચ્છતા ન જાળવતી 10 હોટલો સીલ, 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ખાણીપીણીના એકમો પર સઘન ચેકિંગ હાથ ધરાયું. સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી રાખનાર 10થી વધુ રેસ્ટોરન્ટોને તાત્કાલિક બંધ કરાવી દેવાઈ. પારસી હોસ્પિટલ સામેના ખીચડી સેન્ટરમાંથી 20 કિલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળી આવ્યો, જેનો નાશ કરી સેન્ટર સીલ કરાયું. માણેકલાલ રોડની આઇસ્ક્રીમ દુકાનમાં પણ ગંદકી અને શંકાસ્પદ કોલ્ડ કોકો મળતાં તેને બંધ કરાયું. કુલ 31 કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો.
નવસારી: સ્વચ્છતા ન જાળવતી 10 હોટલો સીલ, 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
નવસારી: પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓને વૈજ્ઞાનિક ડ્રેજિંગ દ્વારા પૂર મુક્ત કરવાની માંગ
નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને દર વર્ષે આવતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના વિનાશક પૂરથી કાયમી મુક્તિ અપાવવા પર્યાવરણપ્રેમીઓ અને જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીને આવેદનપત્ર આપ્યું. તેમણે માંગ કરી કે નદીઓને માત્ર મનસ્વી રીતે ઊંડી કરવાને બદલે, વિશેષ ટીમ દ્વારા હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોલિક સર્વે કરી, ઊંડાઈ, પહોળાઈ, કાંપ, પાણીની વહનક્ષમતા અને કુદરતી વહેણમાં આવતા અવરોધોનો અભ્યાસ કર્યા બાદ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેજિંગની કામગીરી હાથ ધરાય. વેરાવળ ગામના રાજુભાઈ પટેલે જમીન ધોવાણની સમસ્યા રજૂ કરી, જે તાત્કાલિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.
નવસારી: પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓને વૈજ્ઞાનિક ડ્રેજિંગ દ્વારા પૂર મુક્ત કરવાની માંગ
વલસાડ: ઉમરગામમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો, દુકાનદાર પાસેથી 37,000 પડાવ્યા.
ઉમરગામમાં રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ આપી, લોકો પાસેથી બળજબરીથી 37,000 રૂપિયા પડાવનાર એક ભેજાબાજને પોલીસે ઝડપી પાડયો છે. ફરિયાદી શૈલેન્દ્ર કમલેશપ્રસાદ ઉત્તમની નાસ્તાની દુકાન પર 'ફૂડ ઇન્સ્પેક્ટર' તરીકે ઓળખ આપી, વેપારીને ડરાવી-ધમકાવીને આ રકમ કઢાવી લેવામાં આવી હતી. આ અંગે દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવતા, વલસાડ જિલ્લામાં ગુનાઓ અટકાવવા તપાસ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઈર્શાદ મુસ્તફ ખાનને ઝડપી પાડયો છે.