ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનો ખતરો
ગીરમાં સિંહોના વસવાટ પર માઇનિંગનો ખતરો
Published on: 04th August, 2026

ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે ગીરના જંગલ વિસ્તારમાં સિંહોના કુદરતી વસવાટ પર માઇનિંગનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં 75.94 હેક્ટર જંગલ જમીન પર માઇનિંગ માટે મંજૂરી આપવાનો વનવિભાગનો અભિપ્રાય ચર્ચાસ્પદ બન્યો છે. 2016માં તે સમયના અધિકારીએ સિંહોના કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર અને હાઈકોર્ટની PILનો ઉલ્લેખ કરીને આ જમીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વર્તમાન અધિકારીએ આ જ જગ્યા માટે પોઝિટિવ અભિપ્રાય આપતાં સિંહો સહિતના વન્યજીવોના હિત પર પ્રશ્નાર્થ સર્જાયો છે.