જામનગરમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ, ખેડૂતે ઝેરી દવા પી લીધી
જામનગરમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ, ખેડૂતે ઝેરી દવા પી લીધી
Published on: 04th August, 2026

જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પાક નિષ્ફળ જતાં સતિયા ગામના 65 વર્ષીય ખેડૂત ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણે તા.10 જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી. તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું. મૃતકના પુત્ર નરેશભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી છે.