'ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો...' વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
'ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો...' વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
Published on: 08th April, 2026

કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' ગણાવતું વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકીય વિવાદ સર્જાયો હતો. ૯ એપ્રિલના મતદાન પૂર્વે આપેલા આ નિવેદનની ભાજપ અને અન્ય પક્ષો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. ગુજરાતની અસ્મિતાના અપમાનના આક્ષેપો અને વધતા ભારે વિરોધને પગલે અંતે ખડગેએ પોતાના નિવેદન બદલ સત્તાવાર રીતે માફી માંગી વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.