જામનગરમાં અધિક માસમાં જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ.
જામનગરમાં અધિક માસમાં જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ.
Published on: 26th May, 2026

જામનગરમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા કરાયું છે. આ કથા 25 થી 31 મે, 2026 દરમિયાન ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પરિસર, લાલવાડી મેઈન રોડ ખાતે યોજાશે. જીજ્ઞેશ દાદા દરરોજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. 28 મેએ નંદ ઉત્સવ અને 30 મેએ રૂક્ષ્મણિ વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે. કથાનો પ્રારંભ પોથીયાત્રા દ્વારા કરાયો હતો.