રાજ્યમાં ખાતર કાળાબજારી અને ટેગિંગ રોકવા સરકારનો નવો પ્રયાસ
રાજ્યમાં ખાતર કાળાબજારી અને ટેગિંગ રોકવા સરકારનો નવો પ્રયાસ
Published on: 05th August, 2026

રાજ્યના ખેડૂતોને વ્યાજબી ભાવે રાસાયણિક ખાતર મળે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ વિભાગ દ્વારા સબસિડાઈઝડ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી અને ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા, ઔદ્યોગિક ઉપયોગ, સંગ્રહખોરી, કાળાબજારી, બનાવટી ખાતર અને યુરિયા સાથે અન્ય પ્રોડક્ટના ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓ સામે ખેડૂતોના હિતનું રક્ષણ કરવા આ ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાશે.