ગુજરાતમાં આવતીકાલથી એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
ગુજરાતમાં આવતીકાલથી એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
Published on: 05th August, 2026

ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવા કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર આવતીકાલ, 6 ઑગસ્ટથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં દૂધના ફેટને બદલે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે Food Safety and Standards Act, 2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.