રાજકોટ મનપાની ગંભીર બેદરકારી: લાખો લોકોને મળ્યું દૂષિત પાણી
રાજકોટ મનપાની ગંભીર બેદરકારી: લાખો લોકોને મળ્યું દૂષિત પાણી
Published on: 05th August, 2026

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની બેદરકારી સામે આવી છે, જેમાં મે મહિનામાં સપ્લાય કરાયેલા પાણીમાં બેક્ટેરિયા મળ્યા હોવા છતાં અને સૌથી વધુ સેમ્પલ ફેલ જવા છતાં વોટર વર્કસ વિભાગે આ લેબોરેટરી રિપોર્ટ એક મહિનો દબાવી રાખ્યો હતો. આ રિપોર્ટ જાહેર થતાં જ મનપાનું પાપ છતું થયું છે. આ દૂષિત પાણીના વિતરણને કારણે શહેરના 9 લાખથી વધુ લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. દર મહિને પાણીના સેમ્પલ વેબસાઇટ પર જાહેર કરવાના હોય છે, પરંતુ તંત્રએ આંકડાકીય રમત રમીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.