ગીર સોમનાથના કોડીનારના દરિયામાં 5 કિશોરો તણાયા
ગીર સોમનાથના કોડીનારના દરિયામાં 5 કિશોરો તણાયા
Published on: 05th August, 2026

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામ નજીક દરિયામાં નાહવા ગયેલા પાંચ કિશોરો ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક માછીમારોના સત્વરે બચાવ પ્રયાસોથી ત્રણ કિશોરોને બચાવી લેવાયા હતા, પરંતુ કમનસીબે બે કિશોરો, ભાવેશ ચુડાસમા અને નિર્મલ હમીરભાઈ ચુડાસમા, દરિયામાં ડૂબી જતાં તેમનું દુઃખદ મોત નીપજ્યું. ઘટના બાદ નેવી, કોસ્ટ ગાર્ડ અને NDRFની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપાયા છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.