છોટાઉદેપુરના કેવડી ગામમાં જીવલેણ કોઝવે
છોટાઉદેપુરના કેવડી ગામમાં જીવલેણ કોઝવે
Published on: 05th August, 2026

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કેવડી ગામ પાસેનો કોઝવે ધોવાઈ જતાં ગ્રામજનોનું જીવન મુશ્કેલ બન્યું છે. ચોમાસામાં પાણીના જોરદાર પ્રવાહથી આ મુખ્ય માર્ગ દર વર્ષે નુકસાન પામે છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. ઇમરજન્સી સેવાઓ, ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ, ગામ સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને અને વિદ્યાર્થીઓને જીવના જોખમે કોઝવે પાર કરવો પડે છે. રોજિંદા જીવન, ખેતી, રોજગાર અને શિક્ષણ પર પણ ગંભીર અસર પડે છે. કાયમી પુલની માંગણી વર્ષોથી કરાયેલી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ ગ્રામજનોએ "પુલ બનાવી આપો"ના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.