ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
ખેડબ્રહ્મા ન.પાલિકા દ્વારા બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવાયું
Published on: 06th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ખેડબ્રહ્મા નગરપાલિકાએ શહેરના બજારોમાં પ્લાસ્ટિકના ઝભલાના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે વેપારીઓને સૂચના આપી છે કે, જો તેઓ આ સૂચનાઓનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.