ચાર દરવાજા નજીક જર્જરિત મકાનના કાંગરા ખરતા લોકોમાં ભય
ચાર દરવાજા નજીક જર્જરિત મકાનના કાંગરા ખરતા લોકોમાં ભય
Published on: 08th August, 2026

વડોદરાના ચાર દરવાજા નજીક એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થવાના આરે છે. ફતેપુરા ચાર રસ્તા નજીક પીતાંબર પોળમાં આવેલું આ મકાન ભયજનક બનતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે. મકાનના કેટલાક ભાગ ખરી રહ્યા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. સુખદ વાત એ છે કે, આ મકાનમાં કોઈ રહેતું ન હતું. ફાયર બ્રિગેડે મકાનને સુરક્ષિત કરીને બેરીકેટ લગાવ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.