ધોલેરામાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત
ધોલેરામાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત
Published on: 25th August, 2026

ધોલેરા ખાતે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. રાજ્યમંત્રીએ 'એક પેડ મા કે નામ' અભિયાનનો ઉલ્લેખ કરી વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, વિકાસ સાથે હરિયાળી વધારવી અનિવાર્ય છે. ધોલેરા જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં 50,000થી વધુ વૃક્ષોના વાવેતરની નોંધ લેવામાં આવી.