રાણાવાવ રેલ્વે સ્ટેશન: મુસાફરો જીવના જોખમે ટ્રેક ક્રોસ કરવા મજબૂર
રાણાવાવ રેલ્વે સ્ટેશન: મુસાફરો જીવના જોખમે ટ્રેક ક્રોસ કરવા મજબૂર
Published on: 25th August, 2026

પોરબંદર નજીકના રાણાવાવ રેલ્વે સ્ટેશન પર એક જ પ્લેટફોર્મની સુવિધા હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. દરરોજ 300 થી વધુ મુસાફરો અવરજવર કરતા હોવા છતાં, ટ્રેન ક્રોસિંગ સમયે મુસાફરોને જીવના જોખમે રેલ્વે ટ્રેક ઓળંગવો પડે છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે આ સમસ્યા વધુ ગંભીર છે, કારણ કે પ્લેટફોર્મની ઊંચાઈ પણ વધારે છે. રેલવે વિભાગ દ્વારા અન્ય સ્ટેશનોનું આધુનિકરણ થતું હોવા છતાં, રાણાવાવ જેવા નાના સ્ટેશનો પર પાયાની સુવિધાઓનો અભાવ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે.