જામનગરમાં શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં: પ્લોટ ફાળવણી
જામનગરમાં શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં: પ્લોટ ફાળવણી
Published on: 25th August, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં શનિવારે પ્લોટ ફાળવણી કરાઈ અને રાઇડ્સના ધંધાર્થીઓ મેળા સ્થળે પહોંચી ગયા છે. મેળાના 39 પ્લોટોથી તંત્રને રુ.1.70 કરોડની આવક થઈ છે, જ્યારે 4 પ્લોટ હજુ વેચાણ વગરના છે. મેળાને માત્ર 8 દિવસ બાકી હોવાથી, ધંધાર્થીઓ લાયસન્સ મંજૂરી માટે એસડીએમ કચેરી, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગમાં દોડધામ કરી રહ્યા છે. રાઇડ્સની ફિટનેસ ચકાસ્યા બાદ મંજૂરી મળશે. મેળા સ્થળે CC TV મોનિટરિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.