જામનગર જિલ્લામાં વાદળોની અવરજવર, પણ વરસાદની રાહ યથાવત
જામનગર જિલ્લામાં વાદળોની અવરજવર, પણ વરસાદની રાહ યથાવત
Published on: 09th July, 2026

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. દિવસ દરમિયાન સૂર્ય વાદળોમાં છુપાયેલો રહેતા ચોમાસા જેવો માહોલ છે અને ગરમીમાં રાહત મળી રહી છે. જોકે, આકાશમાં વાદળોની અવરજવર હોવા છતાં નોંધપાત્ર વરસાદ થયો નથી, માત્ર છાંટા પડ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોઈ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ખેડૂતો અને લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી ખેતીના કાર્યો થઈ શકે અને જળાશયો ભરાય.