સુરતમાં મોતનો ખાડો ખુલ્લો: અનેક માસુમોના મોત બાદ પણ તંત્ર નિંદ્રાધીન
સુરતમાં મોતનો ખાડો ખુલ્લો: અનેક માસુમોના મોત બાદ પણ તંત્ર નિંદ્રાધીન
Published on: 09th July, 2026

સુરતના સચીન-પાલી વિસ્તારમાં બે બાળકોના દુખદ અવસાન બાદ પણ સુરત કોર્પોરેશનની બેદરકારી ચાલુ છે. ડભોલી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે વર્ષોથી અસ્તિત્વ ધરાવતો વિશાળ ખાડો વરસાદી પાણીથી ભરાઈને મોતનો ખેલ બની ગયો છે. પાલિકા માત્ર રસ્તા બંધ કરીને જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ છે, પરંતુ આસપાસથી પસાર થતા રાહદારીઓ, બાળકો અને વાહનચાલકો માટે ગંભીર જોખમ યથાવત છે. કાયમી સુરક્ષા વ્યવસ્થાના અભાવે વધુ એક દુર્ઘટનાની શક્યતા નકારી શકાય તેમ નથી.