સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડ ફાળવણી
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડ ફાળવણી
Published on: 09th July, 2026

સુરતમાં 7 જુલાઈના રેકોર્ડબ્રેક વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે રાજ્ય સરકારે રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપ્યો છે. ભવિષ્યમાં ખાડીપૂરનું પુનરાવર્તન ટાળવા માટે ₹500 કરોડની ફાળવણીનો નિર્ણય લેવાયો છે. આ માટે એક મેગા પ્લાન તૈયાર થશે. સરકારે અસરગ્રસ્ત દુકાનો અને મકાનોનો સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન બાદ આર્થિક સહાય પેકેજ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સર્વે તાત્કાલિક પૂર્ણ કરી કેશડોલ ચૂકવવા સૂચવ્યું છે. ફાયર વિભાગે અનેક લોકોને બચાવી માનવતાનું કાર્ય કર્યું.