અમદાવાદના સરસપુર રેલવે સ્ટેશન નજીક 100 ફૂટ રોડ માટે 184 મિલકતોનું સંપાદન
અમદાવાદના સરસપુર રેલવે સ્ટેશન નજીક 100 ફૂટ રોડ માટે 184 મિલકતોનું સંપાદન
Published on: 09th July, 2026

અમદાવાદ શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશનના વિસ્તરણ કાર્ય હેઠળ, સરસપુર તરફનો સાંકડો રસ્તો 100 ફૂટ પહોળો કરવામાં આવશે. આ વિકાસ મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશનોની સુવિધાને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. રસ્તો પહોળો કરવા માટે 184 મિલકતોનું સંપાદન થશે, જેના વાંધા AMC દ્વારા જાહેર હિતમાં ન હોવાનું જણાવી ફગાવી દેવાયા છે. અસરગ્રસ્તોને 35 દિવસની મુદત અપાયા બાદ કાયદેસર કાર્યવાહી કરાશે. AMC અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના વિકલ્પો પણ પૂરા પાડશે.