'નોરતા નગરી' ગરબામાં ₹8-10 કરોડના ટિકિટ કૌભાંડમાં 4 શખસો સામે ફરિયાદ
'નોરતા નગરી' ગરબામાં ₹8-10 કરોડના ટિકિટ કૌભાંડમાં 4 શખસો સામે ફરિયાદ
Published on: 10th September, 2026

અમદાવાદના સરખેજ પોલીસ મથકે ‘નોરતા નગરી’ ગરબા મહોત્સવ 2025ના આયોજનમાં સામેલ ભાગીદારો વચ્ચે કરોડો રૂપિયાની ટિકિટ ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાઈ છે. સ્પોન્સર્સ અને પરિચિતો માટે રાખેલી કમ્પ્લિમેન્ટરી ટિકિટોને ગેરકાયદે રીતે પેઇડ ટિકિટોમાં રૂપાંતરિત કરી ઓનલાઈન તથા ઓફલાઈન વેચી દેવાઈ હોવાનો આરોપ છે, જેના કારણે અન્ય ભાગીદારોને 8થી 10 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે. આ મામલે અર્જુન ભૂતિયા દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે દર્શન શાહ, જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.