ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ
ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ
Published on: 25th June, 2026

વડોદરાની MS યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં વિસંગતતાઓ સામે આવી છે.યુનિવર્સિટી રજિસ્ટ્રારે તા.૧૧ જૂને જ તમામ ડીનને વોટસએપ ગુ્રપમાં સૂચના આપીને કહ્યું હતું કે, વર્તમાન હંગામી અધ્યાપકોને તા.૩૦ સુધી એક્સ્ટેન્શન આપવાનું છે અને આ માટે તા.૧૩ જૂનના રોજ તેમણે એક ઓર્ડર પણ કર્યો હતો. આમ છતા ટેકનોલોજી ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હંગામી અધ્યાપકોને તા.૧૨ના રોજ છૂટા કરી દેવાયા હતા અને નવા શૈક્ષણિક વર્ષ માટે જેમની પસંદગી થઈ છે તેવા ૧૬૦ જેટલા ઉમેદવારોને નોકરી જોઈન કરવા માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક પણ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકના ઓર્ડર થયા નથી.