સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ અધધ રૂ.70.56 લાખનો ખર્ચ
સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ અધધ રૂ.70.56 લાખનો ખર્ચ
Published on: 18th September, 2026

સુરેન્દ્રનગર મનપા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ રૂ.70.56 લાખનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષના રૂ.30 લાખના ખર્ચ કરતાં બમણો છે. 6 દિવસીય આ કાર્યક્રમમાં 13 કલાકારો જોડાયા હતા, જેમાં કૌશિક ભરવાડ, દેવાયત ખવડ, રાજભા ગઢવી, કાજલ મહેરિયા, અપેક્ષાબેન પંડ્યા જેવા અનેક નામી કલાકારોને રૂ.5 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવી. આ ખર્ચ સુરેન્દ્રનગરના રૂ.39.46 લાખ અને વઢવાણના રૂ.31.10 લાખના કાર્યક્રમોમાં વહેંચાયેલો છે.