બોટાદના સાળંગપુરધામમાં ગણેશ ચતુર્થીએ દાદાનો 'ગણેશમય' શણગાર
બોટાદના સાળંગપુરધામમાં ગણેશ ચતુર્થીએ દાદાનો 'ગણેશમય' શણગાર
Published on: 16th September, 2026

બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુરધામમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો શ્રી ગણેશજીની થીમ પર અનોખો અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ લાલ વસ્ત્રો, ગુલાબ અને સેવંતીના ફૂલોથી દાદાને શણગાર્યા હતા. ગર્ભગૃહમાં શુભ-લાભ, સ્વસ્તિક અને હાથીની પ્રતિકૃતિઓથી સજાવટ કરાઈ હતી. મારુતિ યજ્ઞ બાદ શ્રી ગણેશજીનું પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ અલૌકિક દર્શનનો લાભ લીધો.