ભરૂચમાં સ્વરાકાર 2026: શાસ્ત્રીય સંગીત મહોત્સવમાં રસિકો તરબોળ.
ભરૂચમાં સ્વરાકાર 2026: શાસ્ત્રીય સંગીત મહોત્સવમાં રસિકો તરબોળ.
Published on: 17th June, 2026

ભરૂચ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજીત સ્વરાકાર 2026 કાર્યક્રમ સંગીત રસિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો. પ્રથમ સત્રમાં પંડિત અમર ઓકેએ વાંસળી પર રાગ પૂરીયા ધનાશ્રી અને રાગ દુર્ગાની અદ્ભુત રજૂઆત કરી, જેમાં તબલા પર અજિંક્ય જોશીએ સંગત આપી. બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશીએ રાગ જોગ અને ભૈરવી ઠુમરી રજૂ કરી, સાથે હાર્મોનિયમ પર આકાર સુરતી અને તબલા પર અજિંક્ય જોશી હતા. શાસ્ત્રીય સંગીતમાં યોગદાન બદલ સુકેતુ ઠાકરનું સન્માન થયું.