સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત યોજનાનો વિદ્યાર્થી ઈસરોમાં બન્યો સાયન્ટિસ્ટ
સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત ‘જ્ઞાન સંકલ્પ’ યોજનાના તેજસ્વી વિદ્યાર્થી પ્રણવ જોશી, જેણે ધોરણ 9 થી 12 સુધી વિનામૂલ્યે શિક્ષણ મેળવ્યું, તે હવે ઈસરોમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નેનો સેટેલાઇટ પ્રોજેક્ટ પર કાર્યરત છે. સિમેન્સ કંપનીમાં ચાર વર્ષની ઇન્ટર્નશિપ મેળવનાર પ્રણવનું સંશોધન પેપર પણ ઈસરોના જર્નલમાં પ્રકાશિત થયું છે. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમને સક્ષમ બનાવવાનો છે, અને પ્રણવની સિદ્ધિ આ યોજનાની સાચી સફળતા દર્શાવે છે.
સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત યોજનાનો વિદ્યાર્થી ઈસરોમાં બન્યો સાયન્ટિસ્ટ
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ઉમિયામાતા મંદિર ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી કરનાર રાજસ્થાનની શાતિર ગેંગના 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ગૂગલ મેપ અને સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ચોરીનું આયોજન કર્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી અઢીથી ત્રણ કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામ ચાંદીની મૂર્તિ અને ગુનામાં વપરાયેલી બોલેરો ગાડી સહિત કુલ રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે માનતા પણ રાખી હતી.
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
વડોદરામાં માતાના બીજા લગ્ન બાદ પુત્રીએ નવા પિતા મારઝૂડ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસ પાસે મદદ માગી હતી. પુત્રીનું કહેવું છે કે, નવા પિતા કોઈ પણ વાત જાણ્યા વગર મારપીટ કરે છે અને માતા પણ તેમનો પક્ષ લે છે. પુત્રીએ નોકરી શરૂ કરતાં પિતા તેને સ્વછંદી સમજી ઝઘડા કરતા હતા. પોલીસે પુત્રી, માતા અને પિતાનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી મારી જતાં સળગી
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર ધોલેરા નજીક કાર પલટી જતાં તેમાં આગ લાગી હતી, જેમાં માતા અને તેમના એક વર્ષના પુત્રનું જીવતું દાઝી જવાથી મોત થયું હતું. અકસ્માત બાદ બંને કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિકોની જાણ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ગુનો નોંધી ઓવર સ્પીડ, યાંત્રિક ખામી સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી મારી જતાં સળગી
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તરી આંતરિક ઓડિશા અને ગંગેય પશ્ચિમ બંગાળ પર બનેલું ઊંડું દબાણ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં અનેક રાજ્યોને પાર કરશે, જેના કારણે 29 જુલાઈના રોજ દેશના 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવા 5 રાજ્યોમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે.
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને ગાદલાં લઈને નિકળ્યા ખેડૂતો
મધ્ય પ્રદેશમાં મગની MSP પર 100% ખરીદીની માંગ સાથે હજારો ખેડૂતો ભોપાલ તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર પ્રતિ એકર માત્ર 1 ક્વિન્ટલ મગ MSP પર ખરીદે છે, જ્યારે બાકીનું ઉત્પાદન ઓછા ભાવે વેચવું પડતાં ભારે નુકસાન થાય છે. અનેક જિલ્લાઓના ખેડૂત સંગઠનો આંદોલનમાં જોડાયા છે અને પોલીસની બેરિકેડિંગ તોડીને આગળ વધ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને ગાદલાં લઈને નિકળ્યા ખેડૂતો
ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે 27 ટકા OBC અનામત સાથે 11 વોર્ડની 44 બેઠકોનું નવું રોટેશન જાહેર કર્યું છે. નવા અનામત માળખાને કારણે ભાજપ અને કોંગ્રેસના અનેક વર્તમાન કોર્પોરેટરો તથા સિનિયર નેતાઓના ચૂંટણી સમીકરણો બદલાઈ ગયા છે. કુલ 31 બેઠકો અનામત અને 13 સામાન્ય રાખવામાં આવી છે. નવા રોટેશન બાદ પક્ષોમાં ટિકિટ અને વોર્ડને લઈને દોડધામ તથા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીયોના મોત: સંસદમાં ખુલાસો
સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીય નાગરિકોના વિવિધ કારણોસર મોત થયા છે. જેમાં આપઘાત, કાર્યસ્થળ પર અકસ્માત અને અન્ય કારણોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં આપઘાતના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. UAE, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોમાં સૌથી વધુ ભારતીયોના મૃત્યુ નોંધાયા છે. સરકારે ભારતીય કામદારોની સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે.
ત્રણ વર્ષમાં વિદેશમાં 39,000 થી વધુ ભારતીયોના મોત: સંસદમાં ખુલાસો
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે સ્પષ્ટ કર્યું છે કે જો પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે, તો કોકરોચ જનતા પાર્ટી મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું બંધ કરે, નહીંતર CJP ઉગ્ર વિરોધ કરશે. CJP નેતા સૌરવ દાસે પણ ચેતવણી આપી કે જો સરકાર વિદ્યાર્થીઓ સાથે કરેલો વાયદો તોડશે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશ નંબર 4 પર ચિંતા વ્યક્ત કરી, જે FIR સાથે આગળ વધવાની મંજૂરી આપે છે.
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને નાણાકીય સહાય મળશે
અમદાવાદ શહેર અને જિલ્લા વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આર્થિક નુકસાન વેઠનારા નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોનો ધંધા-રોજગાર પુનઃ પૂર્વવત થઈ શકે તે માટે સહાય અને લોન પર વ્યાજ સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ સહાય પેકેજ અંતર્ગત અલગ-અલગ કેટેગરી મુજબ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે, જેવી કે- બેંક લોન અને વ્યાજ સહાયની જોગવાઈઓ મહત્વની શરતો અને અમલીકરણ
અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને નાણાકીય સહાય મળશે
દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને!
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો GSPLની ગેસ પાઇપલાઇન કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જમીન, પાક અને મિલકતનો સંયુક્ત સર્વે કરી યોગ્ય વળતર નક્કી કર્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવે. તેમણે ગેસ પાઇપલાઇનથી જમીનની કિંમત ઘટશે અને ખનીજ સંપત્તિ પર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોનો આરોપ છે કે કંપની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના કામ શરૂ કરવા માંગે છે, તેથી તેમણે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને!
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગરમાં કરિયાણા વેપારી પર થયેલા જીવલેણ છરી હુમલા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશકુમાર મહીડાની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે ₹4 લાખની આર્થિક લેવડદેવડના વિવાદને કારણે તેણે વેપારીની હત્યા કરાવવા માટે ₹30 હજારની સોપારી આપી હતી. ડાઈંગ ડિકલેરેશન અને અન્ય પુરાવાના આધારે પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ફાયરિંગ કેસમાં આરોપી રામદેવ ડાંગરને ગેરકાયદે હથિયાર પૂરું પાડનાર જસ્મીન કોઠારીનો એસઓજીએ સાબરમતી જેલમાંથી કબ્જો મેળવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે જસ્મીન બોટાદના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ દરમિયાન ફરાર થયો હતો. પોલીસે હથિયાર સપ્લાયની સમગ્ર કડી બહાર લાવવા માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ નવા એશિયાઈ સિંહબાળનો જન્મ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણીઉદ્યાનમાં વધુ એક ખુશીનો પ્રસંગ આવ્યો છે, જ્યાં સિંહણ ધરતીએ ત્રણ સુંદર એશિયાઈ સિંહબાળને જન્મ આપ્યો છે. માતા અને ત્રણેય બચ્ચાં હાલ સંપૂર્ણ સ્વસ્થ છે અને ઝૂ તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ નવા આગમન સાથે, રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, આ પ્રાણીઉદ્યાનમાં કુલ 58 એશિયાઈ સિંહબાળનો સફળતાપૂર્વક જન્મ નોંધાયો છે, જે એક મોટી સિદ્ધિ છે. અહીંનું કુદરતી વાતાવરણ અને આધુનિક સુવિધાઓને કારણે, ઝૂ 70 પ્રજાતિઓના 614 વન્યપ્રાણી-પક્ષીઓ સાથે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ નવા એશિયાઈ સિંહબાળનો જન્મ
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
સુરતના ખોલવડ રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કર (પતંગ હોટેલ માલિક)ની સુરતની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. 'સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપી'ના ભાગીદારો સામે પણ ગુનો નોંધાયો છે. આરોપીઓએ અન્યને ટ્રાન્સફર થયેલ પ્લોટ વેચીને છેતરપિંડી આચરી હતી. 'સહજાનંદ નિર્વાણ' નામના વેન્ચરમાં પુષ્પકભાઈ પટેલે ₹65.59 લાખ જમા કરાવ્યા બાદ જાણવા મળ્યું કે પ્લોટ વર્ષ 2018માં જ વેચાઈ ગયો હતો. કુલ ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
વડોદરામાં જાહેર રિક્ષામાં મુસાફરી દરમિયાન એક મહિલાની થેલી કાપીને રૂ.96 હજારની સોનાની બુટી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જવેલર્સ પાસેથી નવી ખરીદેલી બુટી થેલીમાં રાખ્યા બાદ, અજાણી મહિલા સાથે રિક્ષામાં બેઠેલી મહિલાને ઘરે પહોંચતા ચોરીની જાણ થઈ. પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ જાહેર પરિવહનમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી તેના શરીરમાં છુપાવેલી 244.16 ગ્રામ (24 કેરેટ) સોનાની પેસ્ટ રિકવર કરી 35.84 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. DRI ની ગુપ્ત માહિતીના આધારે, ફ્લાઇટ નંબર FZ 437 માંથી ઉતરેલી શંકાસ્પદ મુસાફરને રોકી તપાસ કરાઈ હતી. આ સોનાની દાણચોરી પાછળના નેટવર્ક અને તેના મૂળ સ્ત્રોત શોધવા માટે કસ્ટમ્સ અને DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી એકવાર કાચા આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઝડતી દરમિયાન આરોપી હુસન કાદરમિયા સુન્નીના હાથના બાવડામાંથી સીમકાર્ડ વગરનો મોબાઇલ અને બેટરી મળી આવી હતી. જેલ પરિસરમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ હોવાથી, આરોપી સામે પ્રિઝન એક્ટ અને જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોબાઇલની વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
સુરતની બે પાલિકા શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની પ્રેરણાદાયી શિક્ષણ સેવા
સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે, બે નિવૃત્ત શિક્ષકો, શશીકલાબેન વ્યાસ અને દેવજીભાઈ લાઠીયા, કોઈપણ વેતન કે લાભની અપેક્ષા વિના, ગરીબ અને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. શશીકલાબેન નિવૃત્તિ બાદ પણ શાળા નંબર-130 અને હવે શાળા નંબર-139 માં વિદ્યાર્થીઓનો અભ્યાસ સુધારવા પ્રયાસરત છે. દેવજીભાઈ ત્રણ વર્ષથી ઉત્રાણ સ્થિત શાળામાં ચાર કલાક સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. તેમનું સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા ભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચા ગુરુ પગાર નહીં, પણ સમર્પણથી ઓળખાય છે.
સુરતની બે પાલિકા શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની પ્રેરણાદાયી શિક્ષણ સેવા
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ અમદાવાદ પહોંચ્યો. NSUI અને યુથ કોંગ્રેસે ઇન્કમટેક્સ ચાર રસ્તા પર રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસે શિક્ષણમંત્રી પર બેદરકારીનો આરોપ મૂક્યો અને જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી.
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
અમદાવાદ દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક જર્જરિત ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું. સોમવારે મોડી રાત્રે મન્સૂરી મહોલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
અમદાવાદ દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી
બાળક શા માટે જૂઠું બોલે છે?
બાળકોનું જૂઠું બોલવું હંમેશા ખરાબ સ્વભાવની નિશાની નથી, પરંતુ તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસનો એક સામાન્ય તબક્કો હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળક સજાથી બચવા, બીજાને ખુશ કરવા અથવા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ન સમજવાને કારણે જૂઠું બોલી શકે છે. મોટા લોકોના વર્તનનું અનુકરણ પણ તેનું કારણ બની શકે છે. માતા-પિતાએ સજા કરવાને બદલે બાળકના વર્તન પાછળનું કારણ સમજી ખુલ્લા સંવાદ દ્વારા પ્રામાણિકતા શીખવવી જોઈએ.
બાળક શા માટે જૂઠું બોલે છે?
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં ATKT (બહુવિધ વિષયોમાં નાપાસ) ના મુદ્દે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVPનો દાવો છે કે 500થી વધુ વિદ્યાર્થીઓના પૂરક પરીક્ષા પાસ કરવા છતાં આગલા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળતાં તેમનું વર્ષ બગડી રહ્યું છે. વિદ્યાર્થી નેતાઓએ અભ્યાસક્રમ રીશેડ્યુલ કરવાની અને વાઇસ ચાન્સેલરની ગેરહાજરી સામે પણ રોષ વ્યક્ત કર્યો. જોકે, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી કે નિયમો મુજબ 4 કે તેથી ઓછી ATKT ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમોટ કરાયા છે. તેમણે 500 વિદ્યાર્થીઓના દાવાને ખોટો ગણાવી, માત્ર 125 વિદ્યાર્થીઓ જ નિયમોના કારણે પ્રમોટ થયા નથી તેમ જણાવ્યું.
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના ધાબા પર મુકવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ: હાઇકોર્ટનો સરકારને પોલિસી રજૂ કરવા આદેશ
Gujarat High Court News: રાજ્યમાં બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે 3 સપ્તાહમાં પાર્કિંગ અને ટ્રાફિકની રિવાઇઝ પોલિસી રજૂ કરવાનો આદેશ કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ મામલે 18મી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટે ફૂટપાથ પરના દબાણો અને ટ્રાફિક જામની સમસ્યા અંગે પણ ગંભીરતા દર્શાવી છે, જેમાં કારગિલ જંકશન જેવા સ્થળોએ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ મુખ્ય કારણ ગણાવ્યું છે. DJ ટ્રકો દ્વારા થતાં ધ્વનિ પ્રદૂષણ પર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ: હાઇકોર્ટનો સરકારને પોલિસી રજૂ કરવા આદેશ
સુરતમાં 75 લાખ વૃક્ષો વાવવાની વાતો વચ્ચે બિલ્ડરો માટે વૃક્ષો કપાતા હોવાના આક્ષેપ!
સુરત મહાનગરપાલિકા 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે અને મિયાવાકી ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટને વેગ આપી રહી છે. જોકે, શહેરમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડર પ્રોજેક્ટ્સ અને વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. રાત્રિના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા હોવાની ફરિયાદો બાદ વિજીલન્સ તપાસની માંગ કરાઈ રહી છે. પાંચ ફૂટ ઊંચાઈના 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી વચ્ચે, રાંદેર ઝોનમાં જાહેરાતના બોર્ડ માટે અને બિલ્ડર પ્રોજેક્ટમાં વૃક્ષોનું નિકંદન થયું છે. આ કપાત અંગે મંજૂરી કોણે આપી અને તેની દેખરેખ કોણ રાખે છે તેવા પ્રશ્નો ઉઠ્યા છે.
સુરતમાં 75 લાખ વૃક્ષો વાવવાની વાતો વચ્ચે બિલ્ડરો માટે વૃક્ષો કપાતા હોવાના આક્ષેપ!
વડોદરામાં એક જ દિવસમાં માંજલપુર, સનફાર્મા અને નિઝામપુરામાં કારમાં આગ લાગવાના બનાવ
વડોદરા શહેરમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના ત્રણ બનાવો નોંધાયા છે. માંજલપુર, નિઝામપુરા અને સન ફાર્મા રોડ વિસ્તારમાં આ ઘટનાઓ બની હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની તાત્કાલિક મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ વાહનોને નુકસાન થયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ બનાવો ચિંતાનો વિષય બન્યા છે.
વડોદરામાં એક જ દિવસમાં માંજલપુર, સનફાર્મા અને નિઝામપુરામાં કારમાં આગ લાગવાના બનાવ
ગુજરાતમાં ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થયેલી બેઠકોમાં આ નિર્ણયો લેવાયા છે. ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાએ અત્યાર સુધીમાં ₹ ૧,૪૮,૩૩૬.૩૫ કરોડનું રોકાણ અને ૧,૬૫,૦૫૩ રોજગારીનું સર્જન કર્યું છે. હાલમાં, ૩૨ મોટા પ્રોજેક્ટ્સ માટે ₹૧,૯૭૭.૦૪ કરોડ, એક મોટા પ્રોજેક્ટ માટે ₹ ૬૪૯.૨૩ કરોડ, ૩ ટેક્સટાઈલ એકમો માટે ₹૧૬૫ કરોડ અને ૪ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટ્સ માટે ₹૩૭૧.૭૦ કરોડના રોકાણને મંજૂરી મળી છે.
ગુજરાતમાં ₹૨,૯૯૯ કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી
પંચમહાલના ગોધરા-વડોદરા હાઈવે પરથી 93.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાના ભંગ બદલ પંચમહાલ LCB ટીમે ગોધરા-વડોદરા નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી. બેઢીયા ખડકી ટોલનાકા નજીક 'નીલકંઠ પંજાબી હોટલ'ના પાર્કિંગમાં એક શંકાસ્પદ કન્ટેનરમાંથી 93.48 લાખ રૂપિયાની કિંમતની 45,500 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ જંગી જથ્થાના સપ્લાય અને નેટવર્ક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પંચમહાલના ગોધરા-વડોદરા હાઈવે પરથી 93.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ કરી લોન્ચ
ગુજરાતના સમૃદ્ધ દરિયાઈ વારસાને વેગ આપવા અને દેશના શિપ બિલ્ડીંગ સેક્ટરને આધુનિક દિશા આપવા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ લોન્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેરિટાઇમ વિઝન ૨૦૪૭’ના અનુરૂપ આ નીતિ, દેશના ૨૩૪૦ કિલોમીટર લાંબા દરિયા કિનારાનો મહત્તમ ઉપયોગ કરશે. આ નીતિ હેઠળ પારદર્શક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અને ફરિયાદ નિવારણ પ્રણાલી પણ કાર્યરત કરાશે. આનાથી ગુજરાત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મેરિટાઇમ હબ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026’ કરી લોન્ચ
સુરત પાલિકાની ભેસ્તાન ઓફિસમાં એક્સપાયરી ડેટના ફાયર એક્સટિંગ્વિશર
સુરત મહાનગરપાલિકા શહેરની મિલકતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવે છે, પરંતુ પોતાની જ ભેસ્તાન વોર્ડ ઓફિસમાં મુકાયેલા ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવા છતાં તેને બદલવામાં આવ્યા નથી. આ બેદરકારી સામે આવતાં પાલિકાની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. નાગરિક દ્વારા કરાયેલી લેખિત રજૂઆત બાદ પણ બે મહિનાથી કોઈ કાર્યવાહી થઈ નથી, જે કર્મચારીઓ અને મુલાકાતીઓની સલામતી સાથે ગંભીર ચેડાં સમાન છે.