TET-1 પાસ 11,000 વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક શરૂ કરવા યુવાનોની માંગ
TET-1 પાસ 11,000 વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક શરૂ કરવા યુવાનોની માંગ
Published on: 28th July, 2026

ગુજરાતમાં ટેટ-1 2025 પાસ કરેલા 11,000 વિદ્યાસહાયકોની કાયમી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 8 મહિનાથી હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે ભરતી અટકી છે, જેનાથી હજારો યુવાનો માનસિક અને આર્થિક મુશ્કેલીમાં છે. માત્ર 650 ઉમેદવારોના વેરિફિકેશનના મુદ્દે 11,000 યોગ્ય ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ઉમેદવારોએ માંગ કરી છે કે કોર્ટના ઓર્ડર મળતા જ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાય. વિવાદાસ્પદ ઉમેદવારોને અલગ રાખીને બાકીનાઓની ભરતી તાત્કાલિક ચાલુ કરવામાં આવે. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય ન લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.