ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડે ગામે વાવો પ્રાથમિક શાળા તેમજ પી એન પંડયા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. શિક્ષણ કીટનું વિતરણ અને નાના ભૂલકાઓને ઉત્સાહ ભેર આવકાર્યા હતા, કુમકુમ તિલક કરી ભૂલકાઓનું મ્હોં મીઠું કરાવ્યું હતું. પોલીસ અધિક્ષકે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં ચોમાસાના મોડા આગમન વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ડાંગના આહવા અને રાજકોટના ગોંડલમાં અનુક્રમે 68 મીમી અને 54 મીમી વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં ચોમાસું પહોંચતાં ગુજરાતમાં પણ વહેલી તકે સક્રિય વરસાદની આશા વધી છે.
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક ફ્લેટમાંથી 'આપ' કાર્યકર નંદની બોસમીયાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. તેણે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો મેસેજ લખ્યો હતો, પરંતુ પરિવારે તેને હત્યા ગણાવી, આયોજનબદ્ધ રીતે આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે, મૃતદેહ મળ્યો ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને પાછળનો બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો, જે હત્યા તરફ ઈશારો કરે છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં 'આપ' કાર્યકરનું શંકાસ્પદ મોત: પ્રેમી પર હત્યાનો ગંભીર આરોપ
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
અમદાવાદમાં ફાયર સેફ્ટી અંગે મ્યુનિસિપલ ફાયર વિભાગે વિવિધ વિસ્તારોની 18 શિક્ષણ સંસ્થાઓમાં ચકાસણી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ જતાં નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા અને અવરજવર માર્ગોની ખામીઓ બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે નિયત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થાઓ સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં. વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ
સુરેન્દ્રનગર જિલ્લાના મીઠા ઉદ્યોગના કેન્દ્ર એવા ખારાઘોડા રેલવે સ્ટેશનનું રૂ. 13.84 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં દરેક પ્લેટફોર્મ પર સીસીરોડ, લોડીંગ સાઈડ પર લાઈટના થાંભલા, મીઠાના વેપારીઓ માટે અધ્યતન રૂમ, અને મજૂરો માટે શેડની સુવિધાઓ સામેલ છે. આ સુવિધાઓ મીઠાના લોડીંગ અને નિકાસ પ્રક્રિયાને સરળ બનાવશે. દેશના મીઠા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મોટો છે, અને ખારાઘોડા તેનું મુખ્ય કેન્દ્ર છે. આ વિકાસથી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
ખારાઘોડા રેલવે સ્ટેશનની રૂ. 13.84 કરોડથી કાયાપલટ
ડૉ. કલામના જીવન ઘડતરમાં પિતાનો અદ્વિતીય ફાળો: પ્રેરણાદાયક પ્રસંગો
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના જીવનમાં તેમના પિતાનો અનન્ય ફાળો હતો. તેમણે શીખવ્યું કે મુશ્કેલીઓમાં ગભરાવાને બદલે પીડાઓનો સંદર્ભ સમજવો જોઈએ. પિતાએ સાઇકલ શીખવતી વખતે હાથ છોડીને પ્રતિકૂળતામાં આત્મનિર્ભર બનવાનું શીખવ્યું. તેઓ પરિવારને એક રાખવા માટે રડ્યા પણ ક્યારેય સામે નહીં. પિતા સફળતાનો નકશો કોતરી આપે છે અને જીવનના કડવા ઘૂંટ પીવાની પ્રેરણા આપે છે. પિતા તેમના માટે હંમેશા રોલમોડલ રહ્યા.
ડૉ. કલામના જીવન ઘડતરમાં પિતાનો અદ્વિતીય ફાળો: પ્રેરણાદાયક પ્રસંગો
ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
પાટણના ચાણસ્મા શહેરમાં આવેલ તળાવના અમૃત 0.2 અંતર્ગત બ્યુટીફ્કિેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન તળાવના ફરતે દિવાલો બનાવ્યા બાદ દિવાલો પર અલગ અલગ ભીંત ચિત્રો ડંકારવામાં આવ્યા છે. જે ચિત્રોમાં ગ્રામ્ય જીવન ખેડૂતની મહેનત, પ્રકૃતિ, જળચર સૃષ્ટિ અને રાષ્ટ્રીય મહાનુભાવોના પ્રેરણાદાયી સંદેશોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. તેમજ સાંજના સમયે લાઇટિંગના ઝગમગતા પ્રકાશ સાથેતળાવ અને દિવાલ ચિત્રોનો મનોહર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જે કોઈ પ્રવાસન સ્થળ જેવી અનુભૂતિ કરાવે છે.
ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં કરી રજૂઆત
પાટણના હારીજ તાલુકાના અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓથી ગ્રામજનો પરેશાન છે. અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી દારૂના અડ્ડાઓ શરૂ થયા છે. ગામના કેટલાક લોકો દારૂના નશામાં હોવાથી અન્ય લોકો મુશ્કેલીમાં છે. આ અંગે અરીઠા ગામના લોકોએ હારીજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે અને દારૂની બદી બંધ કરાવવાની માંગ કરી છે. આ મામલે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અરીઠા ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં કરી રજૂઆત
જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
બોડેલી તાલુકાના જબુગામ ખાતે વનવિભાગની નર્સરી વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડાના બચ્ચાં જોવા મળ્યા હતા. એક યુવાને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ પણ બચ્ચાંના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. એવી ચર્ચા છે કે બચ્ચાંઓની માતા દીપડી પણ આસપાસ જ શિકારની શોધમાં છુપાઈ હોઈ શકે છે, જેનાથી લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. વન વિભાગે દીપડી અને તેના બચ્ચાંને પકડવા માટે ખાસ પાંજરું મૂક્યું છે.
જબુગામ વનવિભાગ નર્સરી પાસે દીપડાના બચ્ચાંનો વીડિયો વાઇરલ
પાટણમાં ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી
પાટણ શહેરમાં આવેલ હાઈવે વિસ્તારમાં પદમનાથ ચોકડી પાસે બાપા સીતારામ મઢુલી નજીક ગટરલાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન એક ગાય તેમાં ખાબકતાં તેની જાણ જાગૃત લોકોએ નગરપાલિકાના મહિલા નગરસેવક માનસીબેન ત્રિવેદીને કરતાં તેમણે બજરંગદળના સેવકો અને પાટણ નગરપાલિકાનો સહયોગ લઈને સ્થળ પર પહોંચી જેસીબી મશીનની મદદથી ગાયને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢી હરિઓમ ગૌશાળા ખાતે મોકલી આપી હતી.
પાટણમાં ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી
પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. શહેર સંગઠન મંત્રી કૈલાસબેન રાઠોડના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ ડૉ. મુખર્જીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશસેવા, દેશપ્રેમ અને અખંડ ભારતના તેમના સંકલ્પને યાદ કર્યો. આ પ્રસંગે મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મોડાસાની શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના શુભારંભ
ભિલોડા સ્થિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના ઉમદા પ્રારંભ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવનિયુક્ત આચાર્ય લીનાબેનના સફળ કાર્યકાળ તથા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, સુખ-સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. શાળા પરિવાર પર ભગવાનની કૃપા બની રહે અને તમામ વિઘ્નો દૂર થાય તે ઉદ્દેશ્યથી આ કથા યોજાઈ હતી. તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી મિતેશ.વી.ભાવસારે ગોર મહારાજના માર્ગદર્શન હેઠળ શાળાના કલ્યાણ માટે આજીજી વ્યક્ત કરી.
મોડાસાની શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના શુભારંભ
ઇડર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરે દાગીનાનું પર્સ પરત કર્યુ
ઇડર સ્થિત મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતાં હસમુખ ખત્રીને તાજેતરમાં મામલતદાર કચેરીમાં કામ અર્થે આવ્યા હતા. ત્યારે પર્સ બાંકડા પર ભુલીને જતાં રહ્યા હતા. ત્યારબાદ સ્ટેમ્પ વેન્ડરને ખબર પડતાં તરત જ મધુબેનનો સંપર્ક કરી અંદાજે રૂપિયા 3 લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાનું પર્સ ખાતરી કરીને પરત આપ્યું હતું.
ઇડર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરે દાગીનાનું પર્સ પરત કર્યુ
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
લુણાવાડા સ્થિત શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો, શાળાના આચાર્ય, સંચાલક મંડળના પ્રમુખ અને વાલી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરી અને વિજ્ઞાન-ટેકનોલોજી પર વક્તવ્યો આપ્યા. આદર્શ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભ વિજેતાઓ, ૧૦૦% હાજરી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
લુણાવાડાની એસ.કે હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
લુણાવાડાની 148 વર્ષ જૂની ઐતિહાસિક શ્રી એસ કે હાઇસ્કુલ શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ હતી. શાળાના વિશાળ પ્રાંગણમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ અને વહીવટી સ્ટાફ્ મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાયા હતા. વહેલી સવારે સૌએ સાથે મળીને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ બાળકોએ સૂર્ય નમસ્કાર અને જીવનમાં ઉપયોગી એવા અન્ય યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે આચાર્ય ડી.વી પટેલે વિદ્યાર્થીઓને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
લુણાવાડાની એસ.કે હાઇસ્કુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
ખેડબ્રહ્મામાં શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રારંભ થયેલ છે. તે અંતર્ગત ખેડબ્રહ્માની પ્રતિષ્ઠિત સંસ્થા એવી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ-1થી 5 તથા સ્મિતાબેન સુમનભાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોને સંસ્થા ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ જોષી તથા કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય દ્વારા નાના ભૂલકાઓને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના વર્લ્ડ -ક્લાસ કેમ્પસ તરીકે ઓળખાતી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ પટેલ, ડિરેક્ટર કાજોલબેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ પટેલ અને મનોજભાઈ કાલે તથા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ, આસનો તેમજ યોગ અને પ્રાણાયામ આધારિત નૃત્યો અને કરતબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મનુભાઈ પટેલે યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.
લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
વડથલી આશ્રામશાળામાં ભવ્ય પ્રવેશોત્સવ, દીકરીઓને પ્રોત્સાહન
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની વિનોબા આશ્રામશાળા વડથલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ પ્રસંગે મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ વિભાગ, મોડાસાના ડી.એસ.ચૌધરીના હસ્તે ધોરણ-1 માં 12 અને ધોરણ-2 થી 8 માં 30 બાળકોને પ્રવેશ અપાયો. શાળાને કમ્પ્યુટર, સીલીંગ ફેન, ગાદલા, રજાઇ, થાળી, વાડકી જેવા મહત્વપૂર્ણ દાન મળ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને પ્રોત્સાહક રોકડ ઇનામ અપાયા.
વડથલી આશ્રામશાળામાં ભવ્ય પ્રવેશોત્સવ, દીકરીઓને પ્રોત્સાહન
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા બાળકોના શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પરવડી વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન હેઠળ અનેક શાળાઓમાં ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ ખુદ ઉપસ્થિત રહી ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને જીવનમાં ખૂબ આગળ વધવા પ્રેરણા આપી. આ પ્રસંગે આંગણવાડીના 14 બાળકોને કીટ, યુનિફોર્મ અને બેગ આપી પ્રવેશ અપાયો, જ્યારે બાલવાટિકાના 43 બાળકોને પ્રવેશ મળ્યો. શ્રી રામ વિદ્યામંદિર અને એમ. સી. મેમોરિયલ હાઇસ્કૂલમાં પણ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ સંપન્ન થયો.
ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા બાળકોના શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
ધ્રાંગધ્રાના મોટીમાલવણની પાણીની પાઇપ લાઇન કામમાં ગેરરીતિ
ધ્રાંગધ્રાના મોટીમાલવણ ગામની સીમમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇનનું કામ ટેન્ડર મુજબ સવા ત્રણ ફૂટના બદલે માત્ર દોઢેક ફૂટ જ ઉંડાણમાં નંખાતા મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આના કારણે પાઇપલાઇન ટૂંક સમયમાં તૂટી જવાની અને ગ્રામજનોને પૂરતું પાણી ન મળવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે આ મામલે પાણી પુરવઠા મંત્રીને તપાસ માટે ગાંધીનગર રજૂઆત કરી છે.
ધ્રાંગધ્રાના મોટીમાલવણની પાણીની પાઇપ લાઇન કામમાં ગેરરીતિ
મહીસાગરના ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાનાં ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે આજે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે D.R.D.A.ના નિયામક ચંદ્રિકા બેન ભાભોરતથા C.R.C. પ્રવિણભાઈ, પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયા, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ધોરણ 9 તથા ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોએ પુસ્તક વિતરણ કર્યું હતું. ત્યાર બાદ વૃક્ષા રોપણ કરાયું હતું.
મહીસાગરના ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો
અંબર ચોકડી નજીક ફ્લાયઓવર નીચે દબાણ હટાવવાની કામગીરી અટકાવીમરચાં પાવડરનો સ્પ્રે અને પથ્થરમારામાં મનપા ના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત, હુમલાખોર આરોપીને પકડવા પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યોજામનગર: જામનગરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલા નવા ફ્લાયઓવર નીચે થયેલા દબાણો દૂર કરવા માટે ગયેલી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા દબાણ હટાવ શાખાની ટીમ પર ઝૂપડાવાસીઓના કેટલાક તત્વોએ હુમલો કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
ગાંધીનગરના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ત્રણ સરકારી શાળાઓના 402 બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમણે શિક્ષકો અને વાલીઓને સહયોગ આપવા, બાળકોને ટ્રાફિક સુરક્ષા વિશે જાગૃત કરવા અને હેલ્મેટ પહેરવા માટે માતા-પિતાને પ્રેરિત કરવા ભાર મૂક્યો. રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના 24મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બ્રશ કરવા, હાથ ધોવા અને સ્વચ્છતા જેવી ટેવો કેળવવા કહ્યું. ઉપરાંત, બાળકો દ્વારા વાલીઓને હેલ્મેટ પહેરવાની જીદ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, જેથી અકસ્માતો ટાળી શકાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
ગાંધીનગર નાંદોલ રોડ પર ગટરના પાણીનો ભય
ગાંધીનગર નાંદોલ પંચાયત હેઠળના દહેગામ રોડ પર અક્ષર ગ્રીન પંચમ હોમ અને ઠાકોરનાથ ફ્લેટ પાસે ગટર તથા શૌચાલયનું પાણી જાહેરમાં વહી રહ્યું છે. આ ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓ તથા હજારો રાહદારીઓ પરેશાન છે. ભેજ અને ગરમીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. લોકોએ ગ્રામ પંચાયત પાસે તાત્કાલિક ઘટતું કરવા અને દવા છંટકાવની માંગ કરી છે.
ગાંધીનગર નાંદોલ રોડ પર ગટરના પાણીનો ભય
2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા 419 લોકોને 'તેરા તુજકો અર્પણ' હેઠળ પરત
વડોદરા શહેર પોલીસે ગુનાનો ભોગ બનનાર નાગરિકોને આર્થિક અને માનસિક રીતે રાહત આપવા 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ, વાહન ચોરી, સ્નેચિંગ અને ઘરફોડ ચોરી જેવા વિવિધ ગુનાઓમાં ચોરાયેલો તથા ગુમ થયેલો કુલ રૂ.2.30 કરોડનો મુદ્દામાલ તેના 419 મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ન્યાય અપાવવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે.
2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા 419 લોકોને 'તેરા તુજકો અર્પણ' હેઠળ પરત
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વિક્રમજનક વધારો
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોની અછતની અફવાઓ વચ્ચે ભરૂચ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનના પ્રથમ 21 દિવસમાં 51.90 લાખ લિટર પેટ્રોલ અને 1.92 કરોડ લિટર ડીઝલનું વેચાણ નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં અનુક્રમે 18.70% અને 12.80% વધારે છે. અછતની બીકે થયેલી 'પેનિક બાયિંગ'ને કારણે આ વિક્રમી વેચાણ થયું છે, જેની અંદાજિત કિંમત રૂ. 247 કરોડ થાય છે.
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વિક્રમજનક વધારો
ભરૂચમાં 685 છાત્રો ખાનગીમાંથી સરકારી શાળામાં
ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પર વાલીઓનો વિશ્વાસ વધી રહ્યો છે. આ શૈક્ષણિક વર્ષમાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને કુલ 176 સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. ભરૂચ અને અંકલેશ્વર તાલુકાઓમાં આ સંખ્યા સૌથી વધુ છે, જ્યાં અનુક્રમે 184 અને 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શિક્ષણ જેવી સુવિધાઓ આ બદલાવ પાછળ મુખ્ય કારણો છે. આ દર્શાવે છે કે સરકારી શાળાઓ હવે પ્રથમ પસંદગી બની રહી છે.
ભરૂચમાં 685 છાત્રો ખાનગીમાંથી સરકારી શાળામાં
ભરૂચ જિલ્લામાં ધો.1 અને આંગણવાડીમાં હજારો બાળકોને પ્રવેશ
ભરૂચ જિલ્લામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો. ધોરણ-1 માં 4625 અને આંગણવાડીઓમાં 2604 બાળકોને પ્રવેશ અપાયો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી પ્રોત્સાહિત કરાયા. બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ 478 વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવામાં આવ્યા. પ્રથમ દિવસે રોકડ અને ચીજવસ્તુ સ્વરૂપે કુલ રૂ. 40.81 લાખનું દાન મળ્યું. આ કાર્યક્રમોમાં અધિકારીઓ અને આગેવાનો દ્વારા શાળાના વિકાસ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
ભરૂચ જિલ્લામાં ધો.1 અને આંગણવાડીમાં હજારો બાળકોને પ્રવેશ
વડોદરા શાળા પ્રવેશોત્સવ: નવી અંગ્રેજી માધ્યમ શાળાઓમાં રેકોર્ડબ્રેક પ્રવેશ
શિક્ષણ સમિતિની નવી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વાલીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. એકતાનગરની સ્વામી દયાનંદ સરસ્વતી અંગ્રજી પ્રાથમિક શાળામાં ૧૦ દિવસમાં ૧૨૫ અને અટલાદરાની ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં ૩૫ નવા એડમિશન થયા છે. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૪૪ શાળાઓમાં કુલ ૧૬૬૩ વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો, જેમાં ૧૦૨ ગુજરાતી, ૧૩ હિન્દી અને ૧૧ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત વિધાનસભાના દંડક દ્વારા શાળાઓની મુલાકાત લેવાઈ, જ્યાં તેમણે નવી શિક્ષણ નીતિ અને સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપ્યું.