GTUમાં ૧૯ વર્ષ બાદ પણ કાયમી પરીક્ષા નિયામક નથી
GTUમાં ૧૯ વર્ષ બાદ પણ કાયમી પરીક્ષા નિયામક નથી
Published on: 19th August, 2026

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની સ્થાપનાના ૧૯ વર્ષ બાદ પણ કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક થઈ શકી નથી. ત્રણ વખત ભરતી પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ, યોગ્ય ઉમેદવાર ન મળવાને કારણે આ પદ હજુ પણ ખાલી છે. છેલ્લા ૧૯ વર્ષથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક દ્વારા સંચાલન થઈ રહ્યું છે, જે લાખો વિદ્યાર્થીઓ અને વિશાળ પરીક્ષા કામગીરી માટે ચિંતાનો વિષય છે. પગાર સ્કેલનો વિવાદ અને ખાનગી ઉમેદવારોની લાયકાતનો અભાવ મુખ્ય અડચણરૂપ બન્યો છે, જેના કારણે ચોથી વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવી પડશે.