રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ!
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ!
Published on: 22nd June, 2026

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોના રી-વેલ્યુએશન અને વેરિફિકેશનમાં ઐતિહાસિક ફેરફાર કરાયો છે. નવા નિયમ મુજબ, જે વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈ ફેરફાર ન થાય ("No-Change" રિઝલ્ટ), તેઓ પણ પોતાની મૂલ્યાંકન થયેલી આન્સર શીટ રૂબરૂ જોઈ શકશે. આ નવી વ્યવસ્થા હેઠળ, વિદ્યાર્થીઓ સીબીએસઈની રીજનલ ઓફિસ ખાતે જઈને પોતાની ઓરિજિનલ ઉત્તરવહીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકશે. આ નિર્ણય મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી લેવાયો છે.