મુંબઈ-બેંગલુરુ વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન
મુંબઈ-બેંગલુરુ વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન
Published on: 22nd June, 2026

વંદે ભારત સ્લીપર ટ્રેનનો નવો અવતાર પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે લાંબા અંતરનો પ્રવાસ સરળ બનાવશે. ખાસ કરીને મહારાષ્ટ્રથી કર્ણાટક વચ્ચેના પ્રવાસ માટે આ ટ્રેન એક પ્રીમિયમ વિકલ્પ બનશે. નવી ટ્રેનમાં ઉપરના બર્થ પર જવા માટે સીડીને બદલે સુરક્ષિત દાદરા, ફર્સ્ટ એસી કોચમાં સ્લાઈડિંગ દરવાજા જેવી સુવિધાઓ હશે. આ ફેરફારોથી પ્રવાસ વધુ આરામદાયક બનશે. આ ટ્રેન 16 ડબ્બાની, સંપૂર્ણપણે AC હશે અને 823 પ્રવાસીઓને લઈ જઈ શકશે. મુંબઈ-બેંગલુરુ વચ્ચેનો પ્રવાસ 20 કલાકથી ઘટીને 14-15 કલાકનો થઈ જશે. ટ્રેનના રૂટ અને ટાઈમટેબલની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.