અંકલેશ્વર શ્રી ગટ્ટુ વિદ્યાલય – CBSE માં ઇન્વેસ્ટિચર સેરેમની
અંકલેશ્વર શ્રી ગટ્ટુ વિદ્યાલય – CBSE માં ઇન્વેસ્ટિચર સેરેમની
Published on: 12th August, 2026

અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલય – CBSE ડિવિઝનમાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમવર્કના ગુણો કેળવવા ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુભાષભાઈ પટેલ, શોભાબેન પટેલ, અને એનસીસી અધિકારી સંગ્રામ સિંહ ઉપસ્થિત રહ્યા. નવનિયુક્ત વિદ્યાર્થી નેતાઓને મુખ્ય અતિથિઓ, કેમ્પસ ડિરેક્ટર, આચાર્ય મિશેલ ગણેશાણી, ઉપાચાર્ય સુચિતા રોય, આચાર્ય સુષ્મા ચૌધરી, ઉપાચાર્ય અંજલિ પટેલ, તથા અન્ય સ્ટાફે સેશે અને બેજ પહેરાવી જવાબદારીઓ સોંપી.