ગૂજરાત વિદ્યાપીઠના 30 હજાર સભ્ય ઘેરબેઠાં પુસ્તક મેળવી શકશે.
ગૂજરાત વિદ્યાપીઠના 30 હજાર સભ્ય ઘેરબેઠાં પુસ્તક મેળવી શકશે.
Published on: 18th April, 2026

ગૂજરાત વિદ્યાપીઠે ગાંધીજીની વિચારધારાના પ્રસાર માટે ૧૦૫ વર્ષ જૂના પોતાના સમૃદ્ધ પુસ્તકાલયને ડિજિટલ પ્લેટફોર્મ સાથે સાંકળ્યું છે. હવે ૩૦ હજાર જેટલા સભ્યો વિદ્યાપીઠની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠાં ૩ લાખથી વધુ પુસ્તકો મેળવી શકશે. જનરલ સ્ટડીઝથી લઈને સ્પેસ સાયન્સ સુધીના વિષયો ધરાવતા આ પુસ્તકાલયનો લાભ વધુ લોકો લે તે માટે કુલનાયક હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જે વાચકો માટે રૂબરૂ આવવાની જરૂરિયાત ઘટાડી સમયની બચત કરશે.