વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ
વડોદરામાં ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ
Published on: 09th July, 2026

વડોદરામાં એક સગીરાને સ્વભાવ સુધારવા માતા-પિતાએ પૂજારીને ઘરે બોલાવ્યા હતા. પૂજારી નરેન્દ્ર ભટ્ટે ધાર્મિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જઈ સગીરા પર દુષ્કૃત્ય આચર્યું. પીડિતાએ હિંમત દાખવી મિત્રની મદદથી પોતાના રૂમમાં મોબાઈલ ગોઠવી પૂજારીની કરતૂતનો વીડિયો બનાવ્યો. આ મજબૂત પુરાવા સાથે સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે આરોપી પૂજારી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે માતા-પિતાને બાળકો સાથે સંવાદ રાખવા અપીલ કરી.