અમદાવાદમાં ચોરીની બે ઘટના, ચાંદખેડામાં ઘરઘાટીનો 27.50 લાખનો હાથફેરો
અમદાવાદમાં ચોરીની બે ઘટના, ચાંદખેડામાં ઘરઘાટીનો 27.50 લાખનો હાથફેરો
Published on: 05th August, 2026

અમદાવાદમાં ચોરીની બે ઘટનાઓ બની છે, જેમાં એક વેપારીના ઘરઘાટીએ 27.50 લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી કરી છે, જ્યારે સરસપુરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી 8.20 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરાયા છે. ચાંદખેડામાં, ઘરઘાટી સુનિલ લીલારામ કલાસવાએ વેપારીના બંધ મકાનમાં પ્રવેશ કરી કબાટ તોડી રોકડ, સોના અને ચાંદીના ઘરેણાં સગેવગે કર્યા. જ્યારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિનલબેન ઠાકોરના ઘરમાંથી પણ લાખોના દાગીના ગાયબ થયા છે. પોલીસે બંને કેસમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.