ભાવનગર-સોમનાથ હાઈવે પર રેઢિયાળ ઢોરનો ત્રાસ
ભાવનગર-સોમનાથ હાઈવે પર રેઢિયાળ ઢોરનો ત્રાસ
Published on: 05th August, 2026

ભાવનગર-સોમનાથ હાઈવે પર છેલ્લા ઘણાં સમયથી રેઢિયાળ ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે. રસ્તાની વચ્ચે પશુઓ બેસી રહેતા નાના-મોટા અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે. ચોમાસાની ઋતુ અને રાત્રિ દરમિયાન દ્રશ્યતા ઓછી હોવાથી અકસ્માતોનો ભય વધી ગયો છે. કરોડોનો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા જરૂરી પગલા લેવાતા નથી. વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરાઈ છે.