અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
અમરેલીમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
Published on: 13th June, 2026

અમરેલીમાં ચિંતન જવેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પોલીસે એક શખ્સને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે. સોયેબ અબ્દુલ હમીદ દેશમુખ નામના આરોપીએ તેની બે મહિલા સાગરિતો સુમૈયા અફસર શેખ અને રજીયા યાસીન શેખ સાથે મળીને આ ચોરી કરી હતી. મહિલાઓએ દાગીના ખરીદવાના બહાને દુકાનદારનું ધ્યાન ભટકાવ્યું હતું, જ્યારે સોયેબ બહાર નજર રાખી રહ્યો હતો. આ ચોરીમાં કુલ રૂ. 3.35 લાખના દાગીના ગયા હતા, જેમાંથી પોલીસે રૂ. 3 હજાર રોકડા અને મોબાઇલ ફોન સહિત રૂ. 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.