દેવછોટીયા મહારાજનો 16મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
દેવછોટીયા મહારાજનો 16મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
Published on: 13th June, 2026

કાલોલ તાલુકાના સમા સ્થિત દેવછોટીયા મહારાજનો 16મો પાટોત્સવ ત્રિદિવસીય વિષ્ણુ મહાયજ્ઞ સાથે ધામધૂમથી સંપન્ન થયો. આ ઉત્સવમાં વૈદિક વિધિ, સુંદરકાંડના પાઠ, આનંદનો ગરબો અને મહાઆરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મુખ્ય યજમાન ઉપેન્દ્રસિંહ (કાળુભાઇ) ચાવડા અને તેમના પરિવારે મોટી સંખ્યામાં ભાવિકો સાથે યજ્ઞપુજા, શ્રાવણ અને કિર્તનનો લાભ લીધો. આ પાટોત્સવની ઉજવણીમાં આસપાસના ગામોના ગ્રામજનો અને ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.